પથરી ની સમસ્યા થી સરળતાથી છૂટકારો મેળવવા માટે કરો આ વસ્તુનો ઉપયોગ

પથરી બે પ્રકારની હોય છે, એક કિડનીની પથરી અને બીજી પિત્તની પથરી. જયારે વ્યક્તિને કિડનીમાં પથરી થાય ત્યારે તેને પેટના નીચલા ભાગમાં દુખાવો થાય છે. કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ઘણા લોકો માં જોવા મળે છે.આજકાલ પથરી એટલે સ્ટોન ની સમસ્યા સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે

આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે.હવે કિડની માં પથરી થઇ હોય તો સારવાર પણ સરળ થઇ ગઇ છે. આજના સમય માં મોટાભાગ ના લોકો તેમના ખોરાક પર ધ્યાન આપી શકતા નથી

જેના કારણે તેમને ઘણી સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થાય છે. જો કોઈ વ્યક્તિ તેના આહાર માં બેદરકારી દાખવે છે, તો તે વ્યક્તિ ને સૌથી પહેલા કિડની સ્ટોન જેવી સમસ્યા નો સામનો કરવો પડે છે.ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કિડની માં પથ્થર ની પીડા સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેની સાથે જ લોકો ને ઘણી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડે છે.

આજે અમે તમને દરેક લોકો ને જણાવી દઈએ કે તે કઈ વસ્તુ છે, જેના ઉપયોગ થી તમે પથરી ની સમસ્યા થી સરળતાથી છૂટકારો મેળવી શકો છો. પથરી ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરવો પડશે તે વસ્તુ નું નામ કળથી છે.કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે.

કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.કળથી માં આવા ઘણા તત્વો જોવા મળે છે જે વ્યક્તિ ના શરીર માં પથરી ને તોડવામાં મદદ કરે છે

અને આ પથરી બનવાની પ્રવૃત્તિ અને પુનરાવર્તન ને પણ અટકાવે છે. ચાલો જાણી લઇએ કે પથરી ની સમસ્યા ને દૂર કરવા માટે વ્યક્તિએ આ વસ્તુ નું સેવન કેવી રીતે કરવું જોઈએ.

સૌ પ્રથમ ૨૫૦ ગ્રામ કળથી કાંકરા-પત્થર કાઢી ને સાફ કરી લો. રાત્રે ત્રણ લિટર પાણી માં ૨૫૦ ગ્રામ કળથી પલાળી રાખો. દરરોજ સવારે પલાળી ને રાખેલી કળથી તે જ પાણી સાથે ધીમા આગ પર ૧ થી ૨ કલાક સુધી ગરમ કરો. જ્યારે અડધો લિટર પાણી રહે (જે જોવામાં કાળા ચણાના સૂપ જેવું હોય છે), ત્યારે તેને નીચે ઉતારો.

ત્યારબાદ તેમાં ૨૫ ગ્રામ દેશી ઘી નાંખો. તમે થોડું સીધવ મીઠું, કાળા મરી પણ નાખી શકો છો. હવે તમારો નુસખો તૈયાર છે.પથરી ની સમસ્યા ને દૂર કરવા માટે દિવસ માં એકવાર બપોર ના ભોજન ના સમયે કળથી નું બધું સૂપ પીઈ જવું. ૨૫૦ ગ્રામ સુધી પાણી જરૂર પીવું જ જોઇએ. આ કરવાથી એક કે બે અઠવાડિયા માં કિડની અને મૂત્રાશય ની પથરી ઓગળી ને ઓપરેશન વિના બહાર નીકળી જશે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *