જો ઘરમાં ના થાય આ કામ તો નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.

જીવનમાં કોઈ એવી સમસ્યા નથી હોતી કે જેનો ઉપાય કે હલ ના હોય પરંતુ મનુષ્ય આવી નાની મોટી સમસ્યા જોઇને ડરી જાય છે. તેથી તેનું મન વિચલિત થઇ જાય છે અને તેને કોઈ રસ્તો નથી સુજાતો.દરેક લોકો એમની સમસ્યા નો ઉકેલ લાવવા માટે પુરા પ્રયત્ન કરે છે પરંતુ ઉકેલ આવી શકતો નથી.

આજે અમે જણાવીશું કેટલાક આસન અને સરળ ઉપાયો જેનાથી જીવનની દરેક તફ્લીફો થશે દુર. તો ચાલો જાણી લઈએ એ ઉપાયો વિશે,..દરેકના ઘરમાં સવારે કે સાંજે પૂજા દરમિયાન રોજ દીવો કરવામાં આવે છે. સવારે તો સૂર્ય નારાયણ સાક્ષાત તપતાં હોય છે.તેથી અંધકારને સ્થાન જ નથી હોતું.

પણ કહેવાય છે કે જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થતું હોય તે ચારેય વેળા કાળે એટલે કે સંધ્યાટાળે દીવો કરવો જોઈએ. આમ કરવાથી યમરાજના આશીર્વાદ મળે છે. તેનાથી ઘરમાં કોઈનું અપમૃત્યુ થતું નથી.ઘરમાં પૂજા સ્થાન પર રોજ સાંજે દીવો કરવો જોઈએ. ક્યારેક દીવો કરીને પછી લાઈટ બંધ કરીને બેસજો.

મનને એક શાંતિનો અનુભવ થાય છે. શરીર એક દિવ્યતાનો અનુભવ કરે છે. મનના અનેક ભાવો સ્થિર થઈ જાય છેઅને પરમ તત્ત્વની હાજરીનો અહેસાસ થાય છે.અગ્નિ એટલે કે પ્રકાશ એ તેમના માટે પ્રાણઘાતક હોય છે. તેથી જ્યાં પણ પ્રકાશ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે.

તેથી ખાસ કરીને સંધ્યા ટાળે ઘરમાં દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેતી રહે છે.સંધ્યા સમયે ઘરમાં દીવો કરો તો ફૂલ વાટનો દીવો કરવો અને બે દિવા કરવા. ક્યારેય આડી વાટનો દીવો ભગવાન પાસે કરવો નહિં. અખંડ દીવો હોય તો જ આડીવાટનો દીવો કરવો. આ ઉપાયથી જીવનમાં ચાલતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.

આપણે ત્યાં દીપ દર્શનનું વિશેષ મહત્વ છે. દરરોજ ઘરમાં દિવા કરવાથી અનેક દુષ્પ્રભાવ માંથી બચી જવાય છે. રાત પડે ત્યારે નકારાત્મક શક્તિઓ હાવી થઈ જતી હોય છે.જો ઘરમાં દીવો ન થાય તો અંધકાર રહે છે. તેથી નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.

 

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *