વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવી શકો છો

આપણી આજુ બાજુ હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય તો આપણે હંમેશા પરેશાન રહીએ છીએ. અને આ ઉર્જાનો પ્રભાવ સીધો આપણા જીવન પર પડે છે. પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય વગેરે જેવી સમસ્યા થાય છે અને જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે.

ઘરનો એક મહત્વનો ભાગ બાથરૂમ હોય છે. જે તમારા ધન લાભથી સંબંધ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, બાથરૂમમાં વાદળી કલરની ડોલ સુખ-શાંતિ જાળવી રાખે છે. જોકે આ ડોલને પાણીથી ભરેલી રાખવી જરૂરી છે. જેથી ઘરમાં ધનનું આગમન નિરંતર થતું રહે.

વાસ્તુ શાસ્ત્ર માં એવા જ કેટલાક ઉપાયો જાણવામાં આવેલ છે જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો. તેના માટે તમારે કઈ પણ ખરીદવાની કે ખર્ચ કરવાની જરૂરિયાત નથી પરંતુ ઘરના ઇન્ટીરીયર અને કેટલાક સામાન ને સાચી દિશા માં અને યોગ્ય જગ્યા એ રાખીને વાસ્તુ દોષ થી છુટકારો મેળવી શકાય છે.

આપણે આખા ઘરના ઇન્ટીરીયર ને વાસ્તુ અનુસાર સજાવવું તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાથરૂમમાં જો પાણી ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી નો હંમેશા વાસ રહે છે.

ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબજ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી.ઘર બનાવતા સમયે દરેક લોકો ની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાથરૂમ શાનદાર હોય. એ જ કારણ થી લોકો બાથરૂમ બનાવતા સમયે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે

પરંતુ શું તમને ખબર છે બાથરૂમમાં પણ વસ્તુ દોષ હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે હા એવું પણ હોય છે. કેટલીક ભૂલો ના કારણે બાથરૂમમાં દોષ આવી જાય છે, જેના કારણે ઘર માં નકારાત્મક ઉર્જા નો પ્રવાહ થવા લાગે છે.આ સિવાય તમારા ઘરના બાથરૂમના દરવાજા સામે અરીસો ના હોવો જોઈએ

આ અશુભ અને નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે. જ્યારે પણ તમે બાથરૂમનો દરવાજો ખોલો છો ત્યારે નકારાત્મક ઉર્જા અરીસાથી અથડાઇને ફરીથી ઘરમાં પ્રવેશે છે. જોકે સ્નાન કર્યા બાદ બાથરૂમના દરવાજાને ખુલો મૂકવો યોગ્ય ગણવામાં આવે છે. જે ઘરની નકારાત્મક ઉર્જાને ખેંચવાનું કામ કરે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *