જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર લાવો આ વસ્તુ

જીવનમાં પૈસા કમાવવા માટે મહેનત કરવાની સાથોસાથ તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ઉપાયો પણ અજમાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૈસાની બચત જળવાઈ રહે તેના માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આજે અમે તમને એવા જ વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું,

જેને કરવાથી જીવનમાં ઘણા પ્રકારના શુભ પરિણામ જોવા મળશે, અને જીવનની ઘણી સમસ્યા દુર થશે. ચાલો જાણી લઈએ ક્યાં વાસ્તુ ઉપાય કરવા.જો તમે ઇચ્છિત ધનની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો એના માટે માટીના મટકા પર તરબૂચ રાખીને કોઈ સુહાગીન મહિલાને દાન કરવું 

તે મહિલા પાસેથી ૧ રૂપિયાનો સિક્કો લઈને તિજોરીમાં અથવા ગલ્લામા રાખી દેવો, આ ઉપાયને કરવાથી તમને જલ્દી જ ઇચ્છિત ધનની પ્રાપ્તિ થઇ શકે છે.જો તમે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો એના માટે તમે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરે અથવા પછી દુકાનમાં ધન રાખવા માટે ઉતર અને પૂર્વ દિશા ને પસંદ કરો

એનાથી આર્થિક તરક્કી માં જે પણ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે તે દુર થશે.આવક અને ધનમાં વધારો કરવા માટે તમારા ઘરમાં થોડો બદલાવ કરી શકો છો, તમારા ઘરના ઉતર દિશામાં અરીસો લગાવવો, એનાથી તમારા ઘર માં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનો નળ ખરાબ હોય તો એનાથી પાણી ટપકતું રહે છે 

જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી એને રીપેર કરાવી લેવો, કારણકે એના કારણે તમારે ધન હાનીનો સામનો કરવો પડી શકે છે.તમે તમારા ઘરે અથવા પછી કાર્યક્ષેત્ર ની સારી રીતે સાફ સફાઈ મુજબ ઘરે અથવા દુકાન માં કરોળિયા ના જાળા હોવાથી ધન પ્રાપ્તિ ના માર્ગમાં સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે.

માટે ઘરને એકદમ સાફ રાખવું જોઈએ.જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર માછલી ઘર જરૂર રાખવું અને એમાં 8 ગોલ્ડન રંગની માછલીઓ ની સાથે એક કાળા રંગની માછલી પણ રાખવી, વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી ઘર બેઠક રૂમની ડાબી બાજુ રાખવું, જેનાથી તમારી કિસ્મત ખુલી જશે.

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *