કોઈ પણ ઘરની વાસ્તવિક પ્રગતિ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. એક મહિલા તેના આખા ઘરને સાથે લઈને ચાલે છે. તેની વિચારસરણી અને વર્તન આખા ઘરને અસર કરે છે. તેથી જ્યારે પણ સ્ત્રી લગ્ન કરે છે અને તેના સાસરિયામાં જાય છે ત્યારે બે બાબતો થાય છે.પહેલું એ કે ક્યાં તો તે સ્ત્રી તેના સસુરાલને નર્ક બનાવશે અથવા બીજુ કે તે આવતાંની સાથે જ પરિવાર અને ઘર સ્વર્ગ બની જશે.
હવે, આ બંનેથી તમારા ઘરનું શું થાય છે તે સંપૂર્ણ રીતે નવી નવેલી પુત્રવધૂ પર આધારિત છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક સારી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારી પત્ની અથવા પુત્રવધૂ અપનાવે છે, તો તમારું ઘર સ્વર્ગ બની શકે છે.શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે અમુક છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે
અને તેના વિશે એ વાત કહેવામાં આવી છે કે જે પણ ઘરમાં તેનો પગ પડે છે તે ઘરને તે સ્વર્ગ બનાવી દે છે. જે છોકરીઓ હંમેશા પોતાના જીવનસાથી અને પોતાના પરિવાર બંને માટે ખૂબ જ સારી રીતે તેનું ધ્યાન રાખે છે અને ક્યારેય પણ પોતાના ઘર પરિવારને તૂટવા નથી દેતી, એવી મહિલાઓ ના કારણે ઘર સ્વર્ગ બની જાય છે.
એક આદર્શ વહુ એ હોય છે જે પુરા પરિવારને સાથે લઈને ચાલે, પણ કેટલીક સ્ત્રી નો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો હોય છે. તેમનો ઉગ્રવાદી અને લડાકુ નેચર ઘર ની સુખ-શાંતિ છીનવી લે છે, જેથી ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે. પરંતુ કેટલીક પત્નીઑ નો સ્વભાવ ખુબ શાંત હોય છે અને જો તમારી પત્નીમાં ગુસ્સો ના કરવાની ખાસ કળા છે તો વિશ્વાસ રાખો કે તમે ખરેખર ખુબ ભાગ્યશાળી માણસ છો. જો તમારી પત્ની આવી હશે તો એ તમારા જીવનમાં શાંતિનો રસ ભરી નાખશે.
શાસ્ત્રોનું માનવામાં આવે તો, જે ઘરની મહિલાઓ દરરોજ પૂજા પાઠ કરે છે તેમાં પણ વધુ ખુશી હોય છે. આનું એક કારણ એ છે કે પૂજા કરતી વખતે આપણે બધા સકારાત્મક મન રાખીએ છીએ. તેનાથી ઘરમાં સારું વાતાવરણ સર્જાય છે. લગ્ન પછી છોકરીઓનો સ્વભાવ પણ બદલાઈ જતો હોય છે.
આજના યુગ માં લગ્ન પછી પત્ની જલ્દી ઉઠવાનું બહુ ઓછું પસંદ કરે છે, પરંતુ પતિ આજે પણ એવું ઈચ્છે છે કે તેની પત્ની વહેલી ઉઠે. જો તમારી પત્ની સવારે વહેલા ઊઠે છે તો તમારા ઘરના બધા કામ સમય પર અને સારી રીતે થઇ જાય છે.
Leave a Reply