જાણવા જેવું

રામાયણના યુદ્ધ દરમિયાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને તેને આ જગ્યાએ લઈ આવ્યા હતા

સમગ્ર વિશ્વની અંદર દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે અને દરેક લોકો આ મંદિરોની અંદર ખૂબ શ્રદ્ધાથી દેવી-દેવતાઓને નમન કરતા હોય છે.હિન્દુ ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારના રાક્ષસો અને અસુરો નું વર્ણન કરવામાં આવ્યું છે. જેમણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ઋષિમુનિઓ અને ત્યાં સુધી કે દેવતાઓને પણ ખૂબ હેરાન કર્યા છે

અને દેવતાઓએ આવા અનેક અસુરોના વધ કર્યા છેઅને લોકોને સુખ શાંતિ પ્રદાન કરી છે તથા સમગ્ર પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી છે. ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં દેવતાઓ નહીં પરંતુ અસુરોના મંદિરો બનાવવામાં આવ્યા છે અને આ અસુરોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા મંદિરો વિશે કે જ્યાં આવા અસુરોની પૂજા થાય છે.

દુર્યોધન મંદિર :– ઉતરાખંડ ના નેટવાર ગામ થી અંદાજે ૧૨ કિલોમીટર દૂર મહાભારતના દુર્યોધન નું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર દુર્યોધનને દેવતાની જેમ જ પૂજા કરવામાં આવે છે અને અહીંયા દુર્યોધનની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી એકઠા થાય છે અને આ જ મંદિરથી થોડે દૂર દુર્યોધનના પ્રિય મિત્ર કર્ણ નું પણ મંદિર આવેલું છે.

રાવણ નું મંદિર :- ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી થોડે દૂર રાવણ નું મંદિર પણ આવેલું છે. જ્યાં રાવણની પુજા કરવામાં આવે છે. અહીંયા રાવણને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને રાવણની પૂજા પણ કરવામાં આવે છે.એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર ૧૮૯૦ ની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

પૂતના નું મંદિર :- ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ નગર ગોકુલ ની અંદર ભગવાન શ્રીકૃષ્ણને દૂધ પીવડાવીને મારવાના બહાને આવેલી માસી પૂતનાનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો હતો.ત્યારે એ જગ્યાએ પૂતનાનું એક મંદિર પણ આવેલું છે. આ જગ્યાએ પૂતના ની સૂતેલી મૂર્તિ રાખવામાં આવેલી છે

અને તેના છાતી ઉપર ભગવાન શ્રીકૃષ્ણ ચડેલા હોય તેવી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.અહીંયા એવી માન્યતા છે કે ભલે તેણે શ્રીકૃષ્ણનો વધ કરવા માટે તેને સ્તનપાન કરાવ્યું હોય પરંતુ તેણે એક માતાના રુપમાં શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું અને આથી જ તે ત્યાંના લોકો માટે પૂજનીય છે.

અહિરાવણ મંદિર :- ઝાંસી થી થોડે દુર ભગવાન હનુમાન નું એક મંદિર આવેલું છે અને ત્યાંથી જ થોડેક દૂર અહીં રાવણ નું પણ મંદિર આવેલું છે. રાવણ ના નાના ભાઈ અહિરાવણ રામાયણના યુદ્ધ દરમિયાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને તેને આ જગ્યાએ લઈ આવ્યા હતા

અને આથી જ અંદાજે ૩૦૦ વર્ષ જુના આ મંદિરની અંદર હનુમાનજીની એક ખૂબ મોટી મૂર્તિ છે. અને સાથે સાથે અહિરાવણ અને તેના ભાઈ મહી રાવણની પણ અહીંયા મૂર્તિ છે અને તેની પણ પૂજા કરવામાં આવે છે.

 

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago