શાસ્ત્રો અનુસાર આ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓએ જન્મ લીધો અને દુષ્ટોનો અંત કર્યો છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા સદ્દગુરુઓએ પોતાના અવતારના જીવનકાળ દરમ્યાન લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો. દુનિયામાં ભારત દેશમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે.તેમજ હિંદુ ધર્મ સાથે જોડાયેલી ઘણી અવનવી વસ્તુ અને અજાણી વાતો આપણને જાણવા મળતી જ રહે છે,
જે આ ધર્મની મહાનતાને દર્શાવે છે અને સાબિત કરે છે. આજે પણ આ ધરતી ઉપર ઘણા મંદિર એવા છે, જ્યાં લોકોએ ભગવાનના ચમત્કારોને અનુભવ્યા છે. શ્રીમદ્દભાગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે.આ પવિત્ર ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે.
આજે ઘણા હજારો વર્ષ પહેલા આ બધી વાતોનું એમાં વર્ણન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મહાન ગ્રંથમાં જે કાંઈ પણ જીવ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું તે ક્યાંકને ક્યાંક આજના સમયમાં સાચું થતું જોવા મળી રહ્યું છે. તમને આ વાતો વાંચવામાં થોડી વિચિત્ર લાગી રહી હશે, પણ તે એકદમ સાચી છે.
આજના આ આર્ટીકલમાં અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેની ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામાં આવી હતી.જે લોકોએ સારી રીતે ભગવદ ગીતા વાંચી લીધી છે, એમને ખબર છે કે આ પવિત્ર પાંડુલિપિના અંતિમ ખંડમાં વર્તમાન યુગ એટલે કે કળિયુગ માટે ભવિષ્યવાળી કરવામાં આવી છે.
આ એક ભવિષ્યવાણી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ૫૦૦૦ હજાર વર્ષ પહેલા કરવામા આવી હતી. અને તે એટલી ચોક્કસ છે કે આજે તમે એને નકારી પણ નથી શકતા. આ કળિયુગમા ફક્ત ધન એ એક માણસના સારા જન્મ અને યોગ્ય વ્યવહાર અને એક સારા ગુણોની નિશાની માનવામા આવશે. પૃથ્વી પર ભ્રષ્ટ લોકોની જનસંખ્યા વધશે
આ કાયદા અને કાનૂન અને આ ન્યાય એ ફક્ત એક શક્તિના આધાર પર લાગુ કરવામા આવશે.પુરુષ અને મહિલા ફક્ત આકર્ષણને કારણે એક બીજા સાથે રહેશે. એક માણસ ફક્ત એક દોરો પહેરીને બ્રાહ્મણના રૂપમાં ઓળખાશે. આ સિવાય મનુષ્ય કળિયુગમા વર્ષના દુકાળથી પરેશાન રહેશે. અને આ દુષ્કાળથી આ મનુષ્ય એ સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે
આ કળિયુગમાં મનુષ્યના તમામ જીવનની મહત્તમ ઉંમર ૫૦ વર્ષ સુધી રહેશે. મનુષ્ય એ પોતાના વૃદ્ધ માતા અને પિતાની સેવા નહિ કરે અને તેને નહિ સાચવે. અને આ મનુષ્યએ એ ઠંડી હવા અને ગરમી અને વરસાદ અને બરફથી ઘણુ બધુ એ નુકશાન ભોગવવુ પડશે. અને આ લોકો એ પોતાના ઝગડા અને ભૂખ અને તરસ અને બીમારી અને ગંભીર ચિંતાને કારણે તે પરેશાન થઇ જશે.
મનુષ્ય કળિયુગમાં દુકાળથી પરેશાન રહેશે. લોકોને ખોરાક માટે પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલ અને બીજનો સહારો હશે. દુષ્કાળથી મનુષ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે. મનુષ્યએ ઠંડી, હવા, ગરમી, વરસાદ અને બરફથી ઘણું બધું નુકશાન ભોગવવું પડશે. લોકો પોતાના ઝગડા, ભૂખ, તરસ, બીમારી અને ગંભીર ચિંતાને કારણે પરેશાન થઇ જશે.
Leave a Reply