પર્સમાં આ વસ્તુઓ રાખવાથી પૈસાની કમી નહીં થાય અને તમારા વૈભવ અને સમૃદ્ધિ માં વૃદ્ધિ થશે.

પર્સનો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરવામાં આવે છે. મોંઘવારી વધવાને કારણે બધા બચત નથી કરી શકતા. આ સમય માં જો તમે તમારા પર્સમાં અમુક ચીજવસ્તુઓ રાખો તો તેનાથી તમને પૈસાની કમી નહીં થાય અને તમારા વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. શાસ્ત્રોમાં કેટલાક અચુક ઉપાયો બતાવવામાં આવ્યાં છે.

જેનાથી તમારી પાસે પણ ધનની ક્યારેય કમી નથી થતી. અને તીજોરી માં સદૈવ માં લક્ષ્મીની કૃપા બની રહેશે. પર્સમાં પાંચ વિશેષ ચીજો રાખવાથી પૈસાની તંગી નહી રહે. ગુરુ અથવા દેવ-દેવતાઓનાં ચિત્રો ન રાખો. પરિવારનો ફોટો રાખી શકો છો.હિન્દુ ધર્મમાં પીપળના પાન અને તુલસી બંને પૂજનીય છે.

  • વાસ્તુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, પર્સ માં હંમેશા પીપળાના પાનને રાખો. પીપળ ના પાનને અભિમંત્રિત કર્યાં બાદ શૂભ મુહૂર્તમાં તેને પર્સમાં નોટોની સાથે રાખો. આવું કરવાથી પર્સમાં હંમેશા ધનથી ભરેલું રહેશે. જરૂરતના સમયે ક્યારેય આર્થિક પરેશાની નહીં થાય.
  • સ્વસ્તિક, ॐ, રાખી શકો છો. ચિત્ર અથવા પ્રતીક રાખો છો, તે ફાટવું ન જોઈએ. રૂપિયા અને પૈસા બરાબર રાખો. તેને ફોલ્ડ કરીને અથવા ટિપ કરીને પૈસા ન રાખશો. સિક્કા ને અલગ રાખો. જો તમે પૈસા યોગ્ય રીતે રાખશો તો ધનનો વ્યય થશે નહીં.
  • માતા લક્ષ્મીનો ફોટો પોતાના પર્સમાં રાખો. જેમાં તે બેઠેલી મુદ્રામાં હોય. તેનાથી ક્યારેય પૈસાની કમી નથી થતી.
  • તમારા પર્સમાં સોના અથવા પિત્તળનો ચોરસ ટૂકડો રાખો. તેને ગંગા જળથી ધોઈને ગુરુવારે રાખો. દર મહિને તેને સાફ કરો. આ તમારા પર્સ માં કાયમી પૈસા રાખવામાં મદદ કરશે. પર્સમાં કાગળની થોડી માત્રા જ રાખો.
  • વધારે કાગળ ન રાખો. વધુ કાગળ રાખવાથી પૈસાનો સતત વ્યય થાય છે. ઉપરાંત પર્સ ખોવાઈ શકે છે. તમારી રાશિની વસ્તુઓ તમારા પર્સ માં રાખો. તમારી રાશિ ચિહ્ન સાથે સંબંધિત છે તેનું નાનું પ્રતીક રાખો. તમે તમારી રાશિથી સંબંધિત રંગની કોઈપણ વસ્તુ રાખી શકો છો. તેથી ધનની પ્રાપ્તી સરળતાથી થશે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *