ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે
અને પછી તે દેખાવમાં ખૂબ જ ગંદા લાગે છે.નખ લાંબા કર્યા પછી અનેક લોકોની એવી ફરિયાદ હોય છે કે, તેમના નખ ખૂબ જ જલદી તૂટી જાય છે અને સાથે ડ્રાય પણ થઇ જાય છે.પરંતુ શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
લાંબા સમય સુધી નખ રાખવાથી ચેપ અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.તેથી જ સમયે સમયે ઘરના વડીલો તમને નખ કાપવા સલાહ આપતા રહે છે.લાંબા અને ગંદા નખ સંભવિત રૂપથી પિનવર્મ્સ જેવા ચેપનું કારણ બની શકે છે. લાંબા અને ગંદા નખમાં વધુ ગંદકી અને જીવલેણ બેક્ટેરિયા હોય છે જેનાથી ગંભીર પરિણામ સ્વરૂપ ચેપ થઇ શકે છે.
નખમાં રહેલા બેક્ટેરિયા અને ગંદકીના સંચયને લીધે, ઘણા ખતરનાક બેક્ટેરિયા વધવા લાગે છે અને આ બેક્ટેરિયા પછી ભોજન દ્વારા પેટમાં જાય છે. જેના કારણે અનેક રોગો થવાનું જોખમ રહે છે. કેટલીકવાર, આ બેક્ટેરિયાને લીધે ઉલટી અને ઝાડા થવાની સમસ્યા પણ થાય છે.બાળકોના નખ નાના હોય છે.
પરંતુ બાળકોના નખ જ સૌથી વધુ ગંદા હોય છે. આ ગંદકીને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ થવા લાગે છે. આ જંતુઓ બાળકોના શરીરમાં ચેપનું જોખમ વધારે છે. ઘણી વખત, બાળકોને આ નખથી શરીરને ખંજવાળે તો આ ખંજવાળથી ઘણું નુકસાન થાય છે. તેથી, ધ્યાનમાં રાખો કે બાળકોના નખ સમયાંતરે કાપવા જોઈએ.
સાબુથી હાથને સારી રીતે ધોઈ અને હાથ સાફ થઈ ગયા. બધા બેક્ટેરિયા હાથમાંથી બહાર નીકળી ગયા. પરંતુ એવું કંઈ નથી. કારણ કે નખમાં એકઠા થતાં બેક્ટેરિયા સરળતાથી દૂર થતાં નથી.તેથી એ આપણા બધા માટે સારું રહેશે કે સારા સ્વાસ્થ્ય માટે આપણે સૌએ સમય સમય પર નખ સાફ રાખવા અને કાપવા જોઈએ.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…