લાલ મરચાનું સેવન કરવાથી શરીર ને થાય છે આ ચોંકાવનાર ફાયદા

ઉઠીને કરવામાં આવતું કોઈ પણ કામ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. એવી જ રીતે અમુક એવી વસ્તુઓ હોય છે જેનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીથી બચી શકાય છે. કોઈ પણ વ્યક્તિ સીધું જ ચા કે કોફી પીવાનું પસંદ કરે છે તો તેની ઉંધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે.

કોઈ પણ આહાર ની અસર સીધી આપણા શરીર પર પડે છે.આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેનાથી ઘણી બીમારીઓ દુર રહે છે. ઘણા લોકો તીખા મરચાની જગ્યાએ ઓછા મરી-મસાલાવાળું ડાયટ લેવાનું પસંદ કરે છે. એક અભ્યાસ પ્રમાણે લાલ મરચાનું નિયમિત સેવન કરવાની ઉંમર લાંબી થાય છે

અને તેનાથી અકાળે મોત થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.અભ્યાસ પ્રમાણે જે લોકો લાલ મરચાનું વધારે સેવન કરે છે, તે લોકોને શરીરમાં 1/4 જોખમ ઓછુ થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ લાલ મરચામાં હાજર તેના તેજ અને ગુણોને શરીર માટે લાભકારક ગણાવ્યા છે. તો ચાલો જાણી લઈએ એક્સપર્ટના રીપોર્ટ વિશે..

 લાલ મરચું લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં અને ટ્યૂમરની સાથે-સાથે સોજાને પણ ઘટાડવામાં મદદ કરે છે. આ અભ્યાસ વૈશ્વિક સ્તરે આશરે 57 હજાર લોકોના આરોગ્ય અને આહારના રેકોર્ડના આધારે કરવામાં આવ્યો છે, પરંતુ સ્વેચ્છાએ માહિતીના આધારે, અન્ય કોઈ અભ્યાસની જેમ, પરિણામો અસ્પષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

કેમ કે, વધુ અંગત અભ્યાસ કરનાર સંશોધનકર્તાઓને એ સ્થાપિત કરવાની જરૂરિયાત છે કે, મરચાની કંઈ જાત આ પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે અથવા કેટલા પ્રમાણમાં ખપત કરે અને શરીર માટે લાભકારી હોય છે.

ભોજનમાં તાજી-સૂકી અને કાળા મરી સ્વાદને પણ વધારી રહી છે અને સાથે મીઠાનો વપરાશ ઓછો રહ્યો છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે વધારે પડતું નમકનુંસેવન રક્તચાપ અને ર્હદય વિકારોનું કારણ બને છે, પરંતુ વૈજ્ઞાનિકોએ રેડીમેડ ચિલી સોસ અને મિશ્રિત મસાલાઓનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તેમનું કહેવું છે કે, તેમાં સોડિયમનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્યના લિહાજથી ઉચિત નથી. અભ્યાસના પ્રમુખ લેખકે કહ્યું છે કે, લાલ મરચાનું નિયમિત સેવન શરીરમાં ઘણી બીમારીઓ જેવી ર્હદય અને કેન્સરના જોખમને ઓછું કરી શકે છે.

રીપોર્ટ પ્રમાણે સંશોધનકર્તાઓએ કહ્યું છે કે, તે સંભવિત આ લોકડાઉનનો ઉપયોગ વધારે મરચા ખાવાની આદતને વધારવા માટે કરી શકે છે. લોકડાઉનના કારણે મહત્તમ લોકો ઘર પર જ ભોજન બનાવી રહ્યા છે અને કાર્ડિયોલોજિસ્ટ્સનું માનવાનું છે કે, મસાલા અને મરચાની સાથે પ્રયોગ કરવા અને સ્વાસ્થઅ ભોજનની આદતમાં સામેલ હોવાને કારણે આ એક સારો સમય છે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *