ઘર મા દર વખતે લાલ કિડીઓ જોવા ની વાત કરતા હોવ તો એ તમારા માટે વાસ્તુ દોષ નુ કારણ માનવા મા આવે છે. જો કીડીઓ ની વાત કરવા મા આવે તો તે બે પ્રકારની હોય છે. એક તો કાળી કિડીઓ અને બીજી લાલ કિડીઓ. શાસ્ત્રો મા જણાવવા મા આવ્યુ છે કે લાલ રંગ ની કિડીઓ અશુભ ગણાય છે અને કાળા રંગની કિડીઓ શુભ મનાય છે.
જો તમારા ઘર મા લાલ રંગની કિડીઓ ફરતી જોવા મળે તો એ તમારા માટે ખરાબ સંકેતો દર્શાવે છે. અને જો તમારા ઘર મા કાળા રંગની કિડીઓ નજરે પડે તો તમારા ઘર પર પ્રભુ ની અસીમ કૃપા છે અને તમને ધનની ઉણપ નહી હોય તેવો નિર્દેશ કરે છે.જો ઘર મા આ કિડીઓ જેટલી વધારે જોવા મળે છે એટલુ જ તમારા પર દેવુ વધે છે
તે કોઈ પણ જાત ના આવનારા સંકત નુ સુચન પણ કરે છે. આવા સંજોગો મા વ્યક્તિઓ કિડીઓ ને મારવા વાળી દવા નો છંટકાવ કરે છે અને કિડીઓ ને મારી નાખે છે.આ રીતે તમને કિડીઓ ને મારવા નુ પણ પાપ લાગે છે. એનો અર્થ એવો થાય છે કે એક સમસ્યા મા થી નિકળ્યા અને બીજી મા ફસાઈ ગયા.
જો તમે દવા નો છંટકાવ કરો છો તો લાલ ની સાથે કાળી કિડીઓ પણ મરી જાય છે.હવે તમારે લાલ કિડીઓ ને દૂર કરવા માટે દવાઓ નો છંટકાવ કરવા ની આવશ્યકતા નથી. તમારે ફક્ત આ ઘરગથ્થુ નૂસ્ખાઓ જ અપનાવા થશે. આ નૂસ્ખા મા લીંબુ નો વપરાશ કરવા નો છે.
એક લીંબુ લો. તેની છાલ કાઢી નાખો અને પછી તેના કટકા કરી લો. હવે આ કટકાઓ ને જે જગ્યાએ લાલ કિડીઓ હોય ત્યા મુકી દો. થોડા જ સમય મા લાલ કિડીઓ ત્યાથી ભાગી જશે.બીજો નૂસ્ખો પણ અહી આપેલ છે જેમા તમારે તમારા રસોઈઘર મા રહેલ તમાલ પત્ર નો ઉપયોગ કરવા નો થાય છે.
જે જગ્યાએ લાલ કિડીઓ નજરે આવે છે એ જગ્યાએ તમે તમાલપત્ર ના કતકા પણ નાખી શકો છો અને તેની સાથો સાથ તમે તીખા તેમજ લવિંગ નો વપરાશ પણ કરી શકો છો.પ્રાચિન સમય થી જ આ બન્ને કિડિઓ ને કિડીયારૂ પુરવા ની પ્રથા આપણા મા ચાલી આવે છે.
કિડીઓ ને ખાંડ ઉમેરી ને લોટ નાખવા મા આવે તો તે વ્યક્તિ કોઈ પણ જાત ના બંધન માથી મુક્તિ મેળવે છે. લાલ કિડીઓ ને મોઢા મા પોતાના ઈંડા લઈ ને જુઓ તો એ તમારા માટે ફળદાયી સાબિત થાય છે. સંપૂર્ણ દિવસ સારો પસાર થશે. જે વ્યક્તિઓ કિડીઓ ને લોટ આપે છે
તેમજ પક્ષીઓ ને ચણ નાખે છે તેઓ ને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિઓ ને માથે દેવુ વધારે હોય તેમણે કિડીઓ ને ખાંડ ઉમેરીને લોટ ખવડાવવો જોઈએ. આમ કરવા થીદેવા માથી મુક્તિ મળી જાય છે.
Leave a Reply