શ્રી હનુમાનજી અત્યંત અદભુત શક્તિઓ તેમજ ગુનો ના સ્વામી હોવાથી તે જાગૃત દેવતા ના રૂપમાં પૂજાય છે. તેઓ ચિરંજીવી છે, શ્રી હનુમાનજીની ઉપાસના અચૂક માનવામાં આવે છે,તેથી કોઈ પણ સમયે હનુમાનજીની ભક્તિ સંકટ મોચન માનવામાં આવે છે. અહી વાચકો માટે પ્રસ્તુત છે ચમત્કારી હનુમાન મંત્ર જે દરેક મુશ્કેલીના સમયે કવચનું કામ કરે છે.
કેવી રીતે કરવો આ મંત્ર નો જાપ:- -સવારે સ્નાન કર્યા પછી શ્રી હનુમાનજી ની પંચોપચાર પૂજા એટલે કે સિંદુર, ગંધ, ચોખા, ફૂલ, નીવેદ, વગેરે ચડાવવું. -ગુગલ ધૂપ તેમજ દીવો પ્રગટાવીને નીચે લખેલો હનુમાન મંત્ર લાલ આસન પર બેસીનેજીવનને સફળ અને પીડામુક્ત બનાવવાણી ઈચ્છા થી બોલવો અને છેલ્લે શ્રી હનુમાનજીની આરતી કરવી.
મંત્ર:- ॐ नमो हनुमते रुद्रावताराय विश्वरूपाय अमित विक्रमाय प्रकटपराक्रमाय महाबलाय सूर्य कोटिसमप्रभाय रामदूताय स्वाहा।।આ ખુબજ ચમત્કારી મંત્ર છે તેમજ આ મંત્ર નો જાપ જીવનની દરેક મુશ્કેલ ઘડી માટે ખુબજ લાભદાયી છે, તેથી નીયામ્મિત આ મંત્ર નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો વિધિ પૂર્વક જાપ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દુર થઇ જાય છે.
તેમજ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. હનુમાનજીના આશીર્વાદ હમેશા આપણા પર બની રહે છે. અને આ મંત્ર ના જાપ દ્વારા આપને જીવનની દરેક માંનોકામના પૂર્ણ કરી શકીએ છીએ.
Leave a Reply