ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે મંગળવારે કરો ગુલાબનો આ ઉપાય

ફૂલો થી દેવો પ્રસન્ન થાય છે અલગ અલગ દેવતાઓને અલગ અલગ ફૂલો પ્રિય હોય છે.આજે અમે એવાજ એક ફૂલની વાત કરીશું જે પૂજા અને પ્રેમ બંનેમાં વપરાય છે. આ ફૂલ એક આવું ફૂલ છે જે દરેક વ્યક્તિનું પ્રિય હશે. તો ચાલો જાણીએ ગુલાબના ફૂલ વિશે કેટલીક ખાસ વાતો.ઘણા બધા લોકો એવા છે.

જે પોતાના ઘરને મહેકાવવા માટે ગુલાબનું ફૂલ પોતાના ઘરમાં રાખે છે, તેવું કહેવામાં આવે છે કે જો ગુલાબની સુગંધથી ઘર મહેકતું રહે તો તેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ દુર રહે છે અને તમારું મન પવિત્ર બની રહે છે, તેનાથી જીવનમાં ઉત્સાહ રહે છે.તન-મનને તાજગી અને સુગંધ અને સૌદર્ય બક્ષનારા ગુલાબના ફૂલોના રસથી આંખોની બળતરા અને ખંજવાળ તો દૂર થાય છે

પણ તે સિવાય પણ તેના અનેક ટૂચકાઓ છે. જે કરવાથી ઈચ્છિત શીધ્રફળની પ્રાપ્તિ થાય છે.અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવો. ત્યારબાદ સવા મીટર સફેદ કપડા સામે રાખે પથરાવો અને ગુલાબના ચાર ફૂલોને ચારે ખૂણા બાંધી લો. પાંચમું ગુલાબ મધ્યમાં નાખી ગાંઠ લગાવી દો. ત્યારબાદ તેને લઈ જઈ કોઈ પ્રવાહિત નદીમાં પ્રવાહિત કરી નાખો.

આ ઉપાયથી ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે.કોઈ પણ શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે તાજા ગુલાબના ફૂલ બજરંગબળી પર 11ની સંખ્યામાં ચઢાવો. આવું સતત 11 મંગળવારે કરવાથી બજરંગબલી પ્રસન્ન થઈને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.ધનની સમસ્યા લગભગ તમામ લોકોને રહે છે

જો તમે ઈચ્છો છો કે તમને અચાનક ધન લાભ પ્રાપ્ત થઇ જાય તો તેવામાં તમે કોઈ પણ સાંજે ગુલાબના ફૂલ ઉપર કપૂરના ટુકડા મૂકીને તેને સળગાવી દો. કપૂર સળગાવ્યા પછી તે ફૂલને દેવી માંના ચરણોમાં અર્પણ કરી દો. તેનાથી તમને ધન લાભ મળશે.અટકી પડેલા કાર્ય પૂરા કરવા માટે જાતકે ગુલાબનો આ ઉપાય કરવો લાભપ્રદ રહેશે. પૂર્ણિમાના દિવસે 3 ગુલાબ અને 3 જૂઈ કે ચમેલીના પુષ્પ સવારે સ્નાન વગેરેથી પરવારી કોઈ નદીમાં વિસર્જિત કરવું જોઈએ. આ પ્રયોગ કરવાથી કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago