આધ્યાત્મ

ગણેશજી ના આ ચમત્કારિક મંત્રોનો જાપ કરવાથી પ્રાપ્ત થશે આર્થીક સમૃદ્ધિ અને મનની શાંતિ….

ભગવાન ગણપતિના નામનો જાપ, ગણપતિના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે.શાસ્ત્રોમાં કહેવમ આવ્યું છે કે, દરેક શુભ કામ કરતાં પહેલાં ગણપતિની ઉપાસના કરવી જોઇએ.

જેથી કોઇપણ કામમાં આવતાં સંકટ ટળી જાય છે. વિઘ્નહર્તા ગણેશજી હંમેશાં દરેકની ઇચ્છાઓને પરિપૂર્ણ કરે છે.આ પાંચ મંત્રો તમને ખુબ જ કામ આવી શકે છે.ગણપતિજીનો બીજ મંત્ર નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો ચાલો જાણી લઈએ કયા કયા છે આ ગણેશજીના ચમત્કારી મંત્ર..

ॐ શ્રી વિનાયકાય નમ: વિનાયક એ ગણપતિજીના સુવર્ણ કાળ દરમિયાનનું પ્રખ્યાત નામ છે. આ મંત્રથી તમારો સુવર્ણ કાળ શરૂ થઈ જશે. તમારા કામમાં તમે ટોચ પર પહોંચશો. વિનાયક એટલે બધુ જ તમારા કંટ્રોલમાં હોય તે. વિનાયક એટલે જે વ્યક્તિ બધી જ સમસ્યા હલ કરે છે તે.

ॐ શ્રી વિઘ્નેશ્વરાય નમ:ગણેશજીને આપણે વિઘ્નહર્તા પણ કહીએ છીએ આ મંત્ર  દ્વારા પૂજનીય ગણેશજી મહારાજ તમારા માર્ગમાં આવતી બધી જ સમસ્યાઓઓ દૂર કરે છે. આ મંત્રના સતત જાપથી તમારા રસ્તામાં આવતી અડચણો, નેગેટિવ એનર્જી દૂર થઈ જશે અને તમે શાંતિનો અહેસાસ થશે.

મંત્ર – ॐ ગંગ ગણપતેય નમ: આ ગણેશજીનો મૂળ મંત્ર છે. તેને બીજ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર યોગ સાધનામાં વપરાય છે. ગણપતિ ઉપનિષદમાંથી આ મંત્ર મળી આવ્યો છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ કરશો તો સફળતા તમારી જ છે.

ॐ  કપિલાય નમ : કપિલ નો અર્થ છે કે તમે કલર થેરાપી આપવા સક્ષણ છે. તમે પોતે રંગ ક્રિએટ કરી શકો છો અને તેનાથી લોકોને સાજા કરી શો છો. આ મંત્રનો એક અર્થ એ પણ થાય છે કે તમે જે માંગશો એ તમને કામધેનુની જેમ મળી જશે. ખાસ કરીને જ્યારે તમે બીજાનું હિત ઈચ્છશો, તમારી ઈચ્છા તરત જ પૂરી થશે.

ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमःઆ કર્જ દુર કરનાર મંત્ર છે. આ મંત્ર ના નિયમિત જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તો પર નું કર્જ ઓછુ થવા લાગે છે. કહેવાય છે કે જો કોઈના ઘરમાં એક પણ વાર આ મંત્ર નું ઉચ્ચારણ થતું હોય તો તે ઘરમાં ક્યારેય પણ કર્જ કે ગરીબી નથી આવતી.

આ મંત્ર ઉપરાંત ગણપતિ ચાલીસા, સંકટમોચન ગણેશ સ્તોત્ર, ગણેશકવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, ઋણહર્તા ગણેશ સ્તોત્ર, ગણેશકવચનો પાઠ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago