વિરાટની સામે સઈ ના ચરિત્ર પર સવાલ ઉઠાવશે પાખી, કેસ પાછો લેવા માટે રાખશે આ શરત…

ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના નિર્માતાઓએ હવે સ્ટોરીમાં એક નવો એંગલ ઉમેર્યો છે. જે બાદ સિરિયલની સ્ટોરી એક અલગ ટ્રેક પર ચાલી રહી છે.હાલમાં ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટોરીમાં , હીરો તરીકે ડૉ. સત્યાની એન્ટ્રી થઈ હતી..

સિરિયલમાં , પત્રલેખાએ સઈ અને પુલકિત પર મેડિકલ નેગેલીજન્સી નો આરોપ લગાવ્યો છે, જેના પછી સઈ અને પુલકિતનું મેડિકલ લાઇસન્સ રદ થઈ શકે છે. જ્યારે પુલકિત ઘરે બધાને આ વાત કહે છે તો વિરાટ ગુસ્સે થઈ જાય છે.

વિરાટ પત્રલેખાના રૂમમાં દોડીને જાય છે અને ત્યાં તેના પર બૂમો પાડવા લાગે છે. વિરાટનો ગુસ્સો જોઈને પત્રલેખા વિનાયકને રૂમની બહાર મોકલી દે છે અને પછી વિરાટના સવાલોના જવાબ આપે છે. વિરાટ બૂમો પાડીને પાખીને કહે છે કે તમે સઈ અને પુલકિત વિશે ફરિયાદ કરી છે જ્યારે બંનેએ તમારો જીવ બચાવ્યો હતો.

આના પર પાખીનું કહેવું છે કે સઈએ જાણી જોઈને તેનું ગર્ભાશય કાઢી નાખ્યું છે. પત્રલેખા આગળ કહે છે કે સઈ હવે આપણા સંબંધોનો અંત લાવવા માંગે છે અને તેણે આ બધું પ્લાનના ભાગરૂપે કર્યું છે.પત્રલેખાની વાત સાંભળીને વિરાટનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે..

પત્રલેખા પરિવારના સભ્યોની સામે જણાવે છે કે જ્યારથી બધાને ખબર પડી કે તે માતા નથી બની શકતી ત્યારથી પરિવારના સભ્યોએ તેની સાથે અલગ વર્તન કરવાનું શરૂ કરી દીધું છે. પાખી આગળ કહે છે કે બીજું બધું એક તરફ છે પણ કાકુ પણ બદલાઈ ગઈ છે, જે કાકુ, સઈને બિલકુલ પસંદ નહોતી કરતી, આજે તે પોતાનું જીવન સઈ પર ન્યોછાવર કરવા તૈયાર છે.

પત્રલેખાની વાત સાંભળ્યા બાદ વિરાટ તેને સમજાવે છે પરંતુ પાખી કંઈપણ સ્વીકારવા તૈયાર નથી. પત્રલેખાએ પણ સઈના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વિરાટ અને સઈએ સાથે રાત વિતાવી છે. આ સાંભળીને સઈ ગુસ્સે થઈ જાય છે અને તે રાતનું સત્ય બધાની સામે જણાવે છે.

પત્રલેખા શરત રાખશે

વિરાટના સમજાવવા પર પાખી કહે છે કે તે માત્ર એક શરતે કેસ પાછો ખેંચી લેશે. પત્રલેખા કહે છે કે સઈએ મારી ઓળખ પાછી આપવી પડશે. અને જો તે મારી ઓળખ પરત નહીં કરે તો હું તેની પણ ઓળખ છીનવી લઈશ. હવે જોવાનું એ રહેશે કે સઈ આવનારા સમયમાં શું પગલાં ભરે છે…??


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *