જ્યોતિષ

વેદો અને પુરાણો અનુસાર પશુઓને ખવડાવવાથી થાય છે આ પુણ્ય

સનાતન ધર્મમાં દરેક પ્રાણીનું પોતાનું મહત્વ હોય છે. આ દરેક પ્રાણીઓને ખોરાક આપવાથી મુશ્કેલી દૂર થાય છે. હિંદુ ધર્મમાં ઉદારતાને સાર્વત્રિક ગણવામાં આવે છે અને પ્રાણીઓ સાથેની હિંસાને એક પાપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી માત્ર તેને મદદ જ નથી મળતી પરંતુ સારા કર્મોની સંખ્યામાં પણ વધારો થાય છે.

એ જ રીતે પશુઓને ખવડાવવું પણ ઘણું સારું માનવામાં આવે છે. વેદો અને પુરાણો કહે છે કે પશુઓને ખવડાવવાથી માત્ર આપણાં પાપો દૂર જ નથી કરતા પરંતુ દોષો પણ દુર થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કયા પ્રાણીને ખવડાવવાથી તમને કયા ફાયદાઓ થશે.આવો જાણીએ પ્રાણીને ખોરાક આપવાથી થતા લાભ વિશે.

હિંદુ ધર્મમાં ગાયને ધરતીનું પ્રતીક માનવામાં આવે છે અને તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઘણા સમુદાયોમાં ગાયને પવિત્ર માનીને તેને પૂજવામાં આવે છે.જે લોકો હજુ સુધી બાળકોની ખુશી મેળવી શક્યા નથી અથવા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે ગાયને ચારો ખવડાવવો તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે.

આવા લોકો ગાયને લીલું ઘાસ અને ઘઉંનો લોટ ખવડાવી શકે છે. ગાયને પહેલી બનાવેલી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.ગાયને રોજ રોટલી અને ઘાસચારા ખવડાવવાથી કષ્ટો દૂર થાય છે. કીડીઓ બે પ્રકારની હોય છે લાલ અને કાળી. લાલ કીડીઓ અશુભ અને કાળા કીડી શુભનુ પ્રતીક છે. કીડીઓને લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવો જેથી બંધનો દૂર થઈ જાય.

કીડીઓની દુવાથી મુશ્કેલીઓથી બચી શકાય છે. કીડીઓને ખાંડ અને લોટની ગોળીઓ ખવડાવવાથી માત્ર ગ્રહદોષ જ નહીં પરંતુ તમારી ઇચ્છાઓ પણ પૂરી થાય છે. એક વાત ધ્યાનમાં રાખો કે ક્યારેય તેમના ઘરને ઉજાડશો નહિ.કૂતરાને ખોરાક આપવાથી શત્રુઓ હંમેશા તમારાથી દૂર રહેશે. કુતરાને માત્ર મનુષ્યના મિત્ર જ માનવામાં નથી આવતા

પરંતુ ઘણા ગ્રહોની ખરાબ અસરોથી પણ તમને રક્ષણ આપે છે.શનિના પ્રભાવને દૂર કરવા માટે લોકો શનિવારે કાળા કૂતરાને રોટલી આપે છે. પરંતુ શાસ્ત્રો મુજબ શનિને કુતરાના રંગ સાથે કોઈ લેવાદેવા નથી. જો તમે અકસ્માત અને મુશ્કેલીઓથી બચવા માટે કોઈ પણ કૂતરાને ખવડાવો છો તો તમને લાભ થશે.

વ્યવસાયની કે નોકરીની પ્રગતિ માટે પક્ષીઓને ચણ નાખો. પક્ષીઓને પાણી આપવો એ માત્ર પરોપકાર જ નહીં પરંતુ જ્યોતિષીય મહત્વ પણ છે. જો તમે રોજે અનાજ અને ચોખાની ચણ આપો છો તો તમને શિક્ષણ અને કારકિર્દીનો લાભ પણ મળે છે. એટલું જ નહીં તમારા બાળકોને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.

અગાસી પર પક્ષીઓને માટે અનાજ અને પાણી મૂકીને તમે તમારા ઘરમાં નસીબ અને સમૃદ્ધિ માટેના દરવાજા પણ ખોલો છો. જોકે બિલાડીને ખવડાવવાની કોઈ પરંપરા સાંભળવામાં આવી નથી. પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ તેને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.તેને ખવડાવીને તમે શત્રુઓ અને જીવનના ઉતાર-ચઢાવથી છુટકારો મેળવી શકો છો.

કાયદાકીય બાબતોને પણ સફળતા મળે છે. જોકે એવું પણ કહેવાય છે કે બિલાડીએ ક્યારેય તમારા ઘરમાં ભોજન ન કરાવવું જોઈએ.એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરે બિલાડી જાતે આવે છે તો તે સૂચવે છે કે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. પૂર્વજોને ખુશ કરવા માટે કાગડાને અનાજ આપો તેમજ બીજી તરફ માછલીને લોટ નાખવાથી સફળતા મળે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago