શિવજીને ખુશ કરવા માટે શિવલિંગ પર ઘણી ચીજો અર્પિત કરે છે, પરંતુ ઘણી વાર ભૂલથી એવી વસ્તુ પણ ચઢાવવા લાગે છે જે શાસ્ત્રો માં વર્જિત માનવામાં આવે છે. ભગવાન શિવની સાધના-આરાધના કરવાથી જીવન અને ગ્રહોથી સંબંધિત તમામ દોષોનું નિવારણ થાય છે. શિવ ઉપાસનામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે.
હકીકતમાં ભગવાન શિવે શંખચુડ નામના રાક્ષસનું વધ કર્યું હતું, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. શંખને એ રાક્ષસનું પ્રતિક માનવામાં આવે છે.તેથી શિવજીની પૂજામાં ક્યારેય પણ શંખ વગાડવો ન જોઈએ.તુલસીને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને બધા શુભ કામ માં એનો ઉપયોગ થાય છે
ભૂલથી લોકો ભોલેનાથની પૂજામાં તુલસીનો ઉપયોગ કરે છે જે કારણથી એની પૂજા સમાપ્ત નથી થતી. શિવલિંગ પર તલ અર્પિત કરવા ન જોઈએ તલને શિવલિંગ પર ચઢાવવા એ વર્જિત માનવામાં આવે છે કારણકે આ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવે છે
તેથી આને ભગવાન શિવને અર્પિત કરવામાં નથી આવતા ભગવાન શિવને અક્ષત એટલે ચોખા અર્પિત કરવા વિશે શાસ્ત્રોમાં લખેલું છે. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે તેથી આ શિવજીને નથી ચઢતા.કુમકુમ અથવા સિંદુર છે વર્જિત કુમકુમ સૌભાગ્યનું પ્રતિક હોય છે
જયારે ભગવાન શિવ વૈરાગી છે તેથી શિવજી ને કુમકુમ ચઢાવવું ન જોઈએ. સાથે જ શિવલિંગ પર હળદર પણ ચઢાવી ન જોઈએ.ક્યારેય પણ શિવલિંગ પર નારિયેળના પાણીથી અભિષેક કરવો ન જોઈએ. નારિયેળ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જેનો સંબંધ વિષ્ણુથી છે તેથી શિવજીને નથી ચઢતું.
Leave a Reply