પુરાણો અનુસાર જે પણ ભક્ત શિવજી પર આ વસ્તુ અર્પિત કરે છે, શિવજી એના પર પ્રસન્ન થઇ જાય છે

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આખરે શા માટે લોકો શિવ ને ભંગ અને ધતુરો ચડાવે છે.શું ભોલાનાથ ભંગ અને ધતુર જેવી નશીલી વસ્તુઓનું સેવન કરે છે? તેની પાછળ પૂરાણોમાં જ્યાં ધાર્મિક કારણ જણાવેલ છે તેમજ તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન શિવ સન્યાસી હતા

અને એ કૈલાસ પર્વત પર સમાધિ લગાવતા હતા.પહાડો પર રહેતી બરફ વાળા વાતાવરણ થી ત્યાં ખુબજ ઠંડી રહેતી હતી. ગાંજા, ધતુરા, ભાંગ, જેવી વસ્તુઓ જે નશા ની સાથે સાથે શરીરને ગરમી પણ પ્રદાન કરે છે.

જે આવા ઠંડા વાતાવરણ માં સન્યાસીઓ ને જીવન પસાર કરવામાં ખુબજ મદદ ગર બને છે.ભાંગ, ધતુરો અને ગાંજા જેવી વસ્તુઓને શિવજી સાથે જોડવાનું બીજું પણ એક દાર્શનિક કારણ છે.

આ વસ્તુઓ ત્યાજ્ય શ્રેણીમાં આવે છે. શિવજી આના દ્વારા એવો સંદેશ આપે છે કે હું એવી વસ્તુઓ ની સાથે પણ રહું છું જેનો સમાજ દ્વારા ત્યાગ કરી દેવામાં આવ્યો છે. જે મને સમર્પિત થઇ જાય છે,હું પણ એનામાં સમર્પિત થઇ જાવ છું. તેનું એક કારણ દેવી ભાગવત પુરાણ માં પણ જાણવામાં આવેલ છે.

જેના અનુસાર ભગવાન ભોલાનાથ એ જયારે સાગર મંથન માંથી નીકળેલ હલાહલ ઝેર પી લીધું હતું ત્યારે એ વ્યાકુળ થવા લાગ્યા.ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતુરો, બિલ્લી પત્ર વગેરે ઔષધિઓ થી શિવજી ની વ્યાકુળતા દુર કરી. એ સમયે થી જ શિવજીને ભાંગ અને ધતુરો ખુબજ પ્રિય છે. જે પણ ભક્ત આ અર્પિત કરે છે, શિવજી એના પર પ્રસન્ન થઇ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *