જાણો ભગવાન શિવની પૂજામાં વાપરવામાં આવતી સામગ્રીનું ક્યારેય પણ ન કરવું અપમાન..

ભગવાન શિવજી ની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શિવજી ને પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા સામગ્રી અર્પિત કરે છે. ભગવાન શિવજી નો અભિષેક પૂજા વગેરે કરવાથી વ્યક્તિનું જીવન ધન્ય થઇ જાય છે. ભગવાન શિવજી ની પૂજા માં અભિષેક, ભસ્મ અને બીલીપત્ર નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આમ તો ભગવાન શિવની પૂજા માટે સોમવાર નો દિવસ શુભ માનવામાં આવે છે.

સોમવાર નો દિવસ ભગવાન શિવજી ની પૂજા માટે માનવામાં આવે છે. મોટાભાગના બધા મંદિરો અને ઘરો ની અંદર સોમવારે ભગવાન શિવજીનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને બિલીપત્ર અર્પિત કરીને તેમની પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવેલા બિલીપત્ર, ફૂલો વગેરેનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો દેવી-દેવતાઓને અર્પણ કરેલી પૂજા સામગ્રીનો અપમાન કરવું એ પાપ માનવામાં આવે છે. આજે અમે તમને કેવી રીતે પૂજા સામગ્રીને વિસર્જન કરવું જોઈએ? તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

પૂજામાં ઉપયોગમાં આવતી સામગ્રીનું વિસર્જન

આમ તો કોઈ પણ ભગવાનની પૂજા કર્યા પછી પૂજા સામગ્રીના વિસર્જન ની  વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ભૂલથી પણ પૂજા સામગ્રી કોઈ નદી કાંઠે અથવા બગીચામાં ન રાખવા, કારણ કે આવી જગ્યાએ આ વસ્તુઓનો અનાદર થાય છે. જો તમે એવી જગ્યાએ સામગ્રીને રાખો છો, તો અહીં આવનારા લોકોનો પગ લાગી શકે છે, જેના કારણે આ વસ્તુઓનું અપમાન થાય છે.

ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીને કોઈ પવિત્ર સ્થાન અથવા બગીચામાં ખાડો ખોદી ને તેને જમીનમાં દાટી શકાય છે. ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીનું વિસર્જન કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો, પરંતુ તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે જ્યાં આ પૂજા સામગ્રી પ્રવાહિત કરી રહ્યા છો. તે નદી નું પાણી પ્રદૂષિત ન હોવું જોઈએ.

શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂજા કરાયેલી સામગ્રીનું અપમાન કરવું એ એક મહા પાપ છે. તેથી તેનાથી બચવા માટે તમે ઉપરોક્ત બતાવેલી બાબતો નું ધ્યાન રાખો. પાપથી બચવા માટે ફક્ત બે જ રસ્તાઓ છે.

એકદમ થોડી માત્રામાં પૂજા સામગ્રીનો ઉપયોગ કરવો અને બીજું પૂજા સામગ્રીને શ્રેષ્ઠ રીતે વિસર્જન કરવું.

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago