જ્યોતિષ

શનિદેવ ની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે કરો આ ઉપાય

જે લોકો ખરાબ વૃતિ થી કામ કરે છે તેમજ ખોટી રીતે ધન કમાય છે,તેમણે શનિદેવ ના કોપનો સામનો કરવો પડે છે. પરંતુ જે લોકો ઈમાનદારી થી તેમજ પરિશ્રમ થી ધન કમાય છે,એમના પર શનિદેવ ની કૃપાદ્રષ્ટિ સદેવ રહે છે. ન્યાય અને કર્મોના આધારે શનિ દેવતા ફળ આપે છે. વર્તમાન સમયમાં જો કોઇ વ્યક્તિ સૌથી વધારે કોઇ ગ્રહથી ડરે છે તો તે શનિદેવ છે.

સૂર્યપુત્ર શનિનું નામ આવતાની સાથે જ મન બધી જાતની અનિષ્ટની સંભાવનાને કારણે ગભરાવા લાગે છે. શનિદેવ અનેક પ્રકારની અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેને સોનાની જેમ તેજ કરે છે.શનિદેવની દ્રષ્ટિ ઘર-પરિવાર પર પડે એટલે જીવનમાં સંકટના વાદળ ઘેરાયેલા રહે છે. તેથી જ લોકો શનિની મહાદશા ચાલતી હોય ત્યારે અનેક ઉપાયો કરવા લાગે છે.

શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો.જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે.

  • જો શનિની કૃપા મેળવવી છે તો સૌ પ્રથમ તમારે તમારા માતાપિતાનું સન્માન કરવું પડશે. તેમની સેવા કરવી પડશે. જો તે દૂર હોય, તો તમે તેમના ચિત્રને નમન કરો. દરરોજ કોલ કરો અને આશીર્વાદ લો. શનિનો આ ઉપાય તમને ચમત્કારીક લાભ આપશે.
  • શનિના દોષ દૂર કરવા માટે દરરોજ શનિના મંત્ર ”ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:”નો ઓછામાં ઓછી ત્રણ માળાનો જાપ કરો.

 

  • દરેક કાળા કૂતરાને તેલમાં ચોપડેલી રોટલી અને મીઠાઈઓ ખવડાવો. જો આ ઉપાય શક્ય ન હોય તો કાળા કૂતરાને બિસ્કિટ ખવડાવો. તેવી જ રીતે શનિદેવ પણ કાળી ગાયની સેવાથી પ્રસન્ન થાય છે અને તેમના દ્વારા થતાં દોષોને દૂર કરવામાં આવે છે.
  • શનિવારે પીપળાના ઝાડની આસપાસ સાત વાર કાચા દોરાને લપેટો. દોરાને લપેટતા સમયે શનિના મંત્રનો જાપ કરતા રહો. આ પછી, દીપદાન કરો. સાથે જ શનિવારે માત્ર એક જ વાર મીઠું અથવા મસાલા વિના સાદું ભોજન અથવા ખિચડી બનાવીને ખાવી જોઇએ.

 

  • શનિને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે શનિનું દાન એક અસરકારક માર્ગ છે. શનિની કૃપા મેળવવા માટે તમે લોખંડ, કાળા તલ, અડદ, કુલથી, કસ્તુરી, કાળા કપડાં, કાળા પગરખાં, ચાની પત્તી વગેરેનું દાન કરી શકો છો.
Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago