ઉપયોગી ટીપ્સ

આયુર્વેદ અનુસાર આ ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે

એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે

વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા, કાળા અને ઘટ્ટ હોય.જોકે વાળ સફેદ થવાની સામાન્ય ઉંમર ૩૫ -૪૦ વર્ષ પછી હોય છે, જ્યારે કેટલાકને વારસામાં મળે છે. સામાન્ય રીતે મહિલાઓ વાળ કાળા કરવા માટે કેમિકલવાળા રંગોનો ઉપયોગ કરે છે.

જેનું ખરાબ પરિણામ ધીરે ધીરે વાળ પર જોવા મળે છે. તો કેમિકલવાળા રંગોનો ઉપયોગ ન કરતા ઘરમાં જ પ્રાકૃતિક પેક બનાવીને વાળ પર લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે. આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે.

તો ચાલો જાણી લઈએ એને કાળા કરવાના ઉપચાર.વાળ માટે બનેલી મોટાભાગની પ્રોડક્ટ જેમ કે, શેમ્પૂ અથવા તેલમાં આમળા મુખ્ય ઘટક હોય છે. આમળાને રોજ કાચા ખાવાથી પણ અનેક ગણા ફાયદા થાય છે. જો તમે આમળાને કાચા ન ખાઈ શકતા હોવ તો તેને ખાંડીને એક ગ્લાસ પાણીમાં ભેળવી પી જાવ. તેનાથી ધીમેધીમે વાળ કાળા થવા લાગે છે.

મેંદીમાં પણ તમે આમળાનું પાણી અથવા પેસ્ટનો ઉમેરો કરીને વાળ પર લગાવી શકો છો.વડની છાલથી વાળને કોઈ આડઅસર થતી નથી. વડની છાલ અને મેંદી વાળને પ્રાકૃતિક સુંદરતા આપે છે. વડની છાલને ઘસીને મેંદીમાં ભેળવી વાળ પર લગાવો. ત્રણ કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. આ પેસ્ટ લગાવવાથી માત્ર વાળ કાળા જ નહીં થાય પણ તેનાથી વાળ મજબૂત, ઘાટ્ટા અને મુલાયમ બને છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

10 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

10 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

10 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

10 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

10 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

10 months ago