વિવાહ ને એક પવિત્ર બંધન માનવામા આવે છે. જો તમે પણ વિવાહ મા ગયા હોવ તો તમને પણ ખ્યાલ આવી જાય કે લગ્નવિધી જુદી જુદી પ્રકાર ની હોય છે અમુક મા જુદા રીવાજો હોય તો અમુક જ્ઞાતિ મા જુદી રીતીઓ જોવા મળે છે.કોઈ પણ સ્ત્રી જે વિવાહીત હિય એ મંગળસૂત્ર ને ધારણ કરે છે તેને સુહાગની નિશાની ગણવા મા આવે છે.
આટલુ જ નહી પણ દરેક વિવાહીત સ્ત્રી આ મંગળસૂત્ર ને ધારણ કરી ને પોતાના પતિ ના વધારે વય ની કામનાઓ કરે છે.અન્ય બાજુ જ્યોતિષ શાસ્ત્ર મા જણાવ્યા અનુસાર તેને શુભતા તેમજ મંગળતા નુ ચિહ્ન માનવા મા આવે છે. એવી પણ માન્યતા છે કે દરેક સ્ત્રીએ મંગળસૂત્ર ધારણ કરતા પહેલા અમુક બાબતોનો ખાસ ખ્યાલ પણ રાખવો જોઈએ.
ક્યારેય પણ એક વિવાહિત સ્ત્રીએ અન્ય વિવાહીત સ્ત્રિ નુ મંગળસસૂત્ર ધારણ ન કરવુ જોઈએ, શાસ્ત્ર મા તેને અશુભ ગણવા મા આવ્યુ છે. આમ કરવા થી વિવાહિત સ્ત્રી ના પતિ નુ આયુષ્ય ઘટી જાય છે અને પતિ પત્નિ ના સંબંધો મા નાના નાના ઝઘડાઓ થવા લાગે છે અને તણાવ વધવા લાગે છે.
આ સિવાય કોઈ પણ વિવાહીત સ્ત્રીએ પોતાનુ મંગળસૂત્ર પોતાના હાથે ક્યારેય પણ ગળે થી દૂર કરવુ જોઈએ નહી.જો કોઈ પણ કારણે તમારે મંગળસૂત્ર ને ઉતારવાનુ થાય છે તો પણ તમારે કાળૉ દોરો તો અવશ્ય બાંધવો. એવી માન્યતા રહેલી છે કે મંગળસૂત્રને ધારણ કરવા થી પોતાના પતિ ને કોઈ કુદ્રષ્ટિ અને ખરાબ નજર લાગશે નહી.તે ખરાબ નજર કે કુદ્રષ્ટિ સામે તેનુ રક્ષણ પણ કરે છે.માટે જ દરેક વિવાહીત સ્ત્રીએ કાયમ ને માટે કાળા મોતીઓથી બનેલ મંગળસૂત્ર અવશ્ય ધારણ કરવુ જોઈએ.
આ મંગળસૂત્ર મા સોનાનો ભાગ હોય એ ખુબ જ આવશ્યક ગણવામા આવ્યુ છે. સ્વર્ણ એ ગુરૂ ના પ્રભાવ ને ઘટાડવા મા સહાયતા કરે છે અને પતિ પત્નિ ના સંબંધો ને ખુબ જ મજબૂતાઈ આપવાનુ કાર્ય કરે છે. આટલા માટે જ આપણા શાસ્ત્રો અને જુની પ્રથાઓ મા પણ મંગળસૂત્ર ને ધારણ કરવુ ખુબ જ જરૂરી ગણાવવા મા આવ્યુ છે.
Leave a Reply