અનુપમા સિરિયલમાં આપણને દરરોજ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે. આ જ કારણ છે કે આ શો હંમેશા ચાહકોના દિલમાં અને ટીઆરપીની યાદીમાં ટોપ પર રહે છે.આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુપમા માયાનો આભાર માનશે, જેના પછી અનુજ ખૂબ ગુસ્સે થઈ જશે.
બીજી બાજુ વનરાજ કહે છે કે અનુપમા મૂર્ખ છે. કાવ્યા વનરાજને કહે છે કે આજકાલ સારાની કદર થતી નથી. સમર કહે છે કે અનુપમા જે કરી રહી છે તેના માટે મોટું દિલ હોવું જરૂરિ છેં. જ્યારે માયા અનુપમા સામે હાથ જોડી દે છે.
અનુપમા વિચારે છે કે તે જાણે છે કે અનુજ નારાજ છે, પરંતુ તે અનુની ખુશી માટે આવું કરી રહી છે. વનરાજ અનુજને કહે છે કે તે તેની પીડા અનુભવી શકે છે કારણ કે જ્યારે તે તેના બાળકોના જીવનમાં આવ્યો ત્યારે તે પણ અસુરક્ષિત બની ગયો હતો. તે અનુજને કહે છે કે માયા કાવ્યા અને અનુપમા બંને સાથે રમવાનો પ્રયાસ કરી રહી છે.અંકુશ વનરાજને માયા વિશે કહેવાનો હતો, પણ અનુજે તેને અટકાવ્યો.
વનરાજ અનુજને કહે છે કે તે માયા સામેની લડાઈમાં તેને સાથ આપશે.અનુના જન્મદિવસ પર શાહ અને કાપડિયા ડાન્સ કરે છે.આ દરમિયાન માયા અને અનુપમા સાથે ડાન્સ કરે છે. બીજી બાજુ હસમુખ અને લીલાએ અનુને પાયલ ગિફ્ટ કરી છેં. લીલા કહે છે કે તેઓ અનુને પાયલ ગિફ્ટ કરી રહ્યાં છે કારણ કે તેઓએ વિચાર્યું ન હતું કે આગામી જન્મદિવસ સુધી અનુ નહિ હોય!!
અંકુશનો મિત્ર અરુણ સુષ્માની નજીક જવાનો પ્રયાસ કરે છે. સુષ્મા તેને થપ્પડ મારીને ત્યાંથી નીકળી જાય છે. માયા સુષ્માના બચાવમાં આવે છે. અંકુશ બધાને કહે છે કે માયા અને સુષ્મા બન્ને બજારુ ઔરત છે.
અનુપમા માયાને સપોર્ટ કરે છે.માયા અનુપમા સાથે વાત કરે છે કે અનુના જન્મદિવસે તેનું સત્ય કેમ બહાર આવ્યુ?? અંકુશ માયાને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ બંધ કરવા કહે છે. માયા સ્વીકારે છે કે તે એક સમયે ડાન્સર હતી.
આવતીકાલના એપિસોડમાં બતાવવામાં આવશે કે હસમુખની મિલકત વેચવાનો પ્રયાસ કરવા બદલ વનરાજ પરિતોષને ખૂબ માર મારે છે અને કહે છે કે તુ મરી કેમ નથી જતો?? તે પરિતોષને જઈને મરવાનું કહે છે. પરિતોષ રસ્તા પર ઢળી પડે છે અને અનુપમાને ફોન કરે છે. આગામી એપિસોડમાં તોશુ મૃત્યુ પામે છે કે બચી જાય છે તે આપણને જાણવા મળશે…
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…