માસિકધર્મ દરમિયાન જો તમને પણ આ સમસ્યા થાય છે તો જાણો એનાથી છુટકારો મેળવવાના ઉપાય

માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ થાય છે. મહિલાઓને દરેક મહિને માસિક ધર્મ માંથી પસાર થાવું પડે છે. આ દરમિયાન મહિલાના વર્તનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. પીરીયડના દીવસોમા મહિલાઓમાં બોડી પેઇનની ફરિયાદ એક સામાન્ય વાત છે. આ તકલીફ ફક્ત બ્લીડીંગ અથવા શરીરમાં દર્દ સુધી જ સીમિત નથી, પરંતુ ક્યારેક ક્યારેક પેડ લગાવવાના કારણે રેશેજ ની સમસ્યા નો સામનો કરવો પડે છે. જો તમને પણ એવી સમસ્યા થાય છે તો ચાલો જાણી લઈએ એનાથી છુટકારો મેળવવાના ઉપાય વિશે.

સારા સેનેટરી પેડનો ઉપયોગ કરવો :- તમારી ત્વચાની સુરક્ષા એ પાત ઉપર પણ નિર્ભર કરે છે કે તમે કઈ કંપનીનું સેનેટરી પેડ વાપરો છો. ક્વોલિટીના મામલા માં તમે બેપરવાહ ન થાઓ. તમે સારા સેનેટરી પેડનો ઉપયોગ કરો કે જે આરામદાયક અને સોફ્ટ હોય. એ જેટલું સોફ્ટ હશે એટલા રેશેઝ થવાનો ખતરો ઓછો રહેશે.

સમય સમય પર પેડ બદલવું :- તમારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સમય પર પેડને બદલતું રહેવું જોઈએ. કારણકે તેમાં બેક્ટીરિયા થઇ જાય છે અને તે તમારી  સમસ્યાનું કારણ બની શકે છે. એટલા માટે હંમેશા પ્રયત્ન કરવો કે પેડ ને દરેક ચાર થી પાઁચ કલાકે બદલી લેવું. એમ કરવાથી રેશેઝ થવાની સંભાવના ઓછી થશે.

કોટનની પેન્ટી પહેરવી :- તમે આ દિવસોમાં કોશિશ કરો કે તમે એવા કોઈ કપડાં ન પહેરો જેનાથી ત્વચાને તકલીફ થાય. તમે કોટનની પેન્ટી પહેરો અને જીન્સ પહેરવાથી બચો. એનાથી રેશેઝ થવાની સંભાવના ઓછી થાય છે, એની સાથે દુખાવાથી પણ રાહત મળશે.

હાઇજીન બનાવી રાખો :- હંમેશા તમારા યોનિમાર્ગની આજુબાજુ ના હિસ્સાને સાફ રાખવું. તેનાથી જે પણ જંતુઓ ઉત્પન્ન થઇ રહ્યા હોય તો તે નષ્ટ થઇ જાય છે. પ્રયત્ન કરવો કે આ દિવસોમાં તમારે યોનિમાર્ગની આજુબાજુના હિસ્સામાં સાબુ ન લગાડવો. આમ કરવાથી રેશેઝ થવાનો ખતરો વધી જાય છે. તમે આ દિવસોમાં ગરમ પાણીથી યોનિમાર્ગ અને તેની આજુબાજુના હિસ્સાને સાફ રાખી શકો છો.

પાવડરનો ઉપયોગ કરવો :- તમે પાવડરનો ઉપયોગ કરો કે જેનાથી યોનિમાર્ગની આજુબાજુનો હિસ્સો સૂકો રહે. એટલે જ તમે યોનિમાર્ગની આસપાસ અને જાંઘો ઉપર પાવડર લગાડો. કોશિશ કરો કે તમે ટેલકમ પાવડર ની જગ્યાએ એન્ટિસેપ્ટિક પાવડર નો ઉપયોગ કરો, કેમ કે તે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *