આ છોડનું શુભ સમયમાં વાવેતર કરવામાં આવે તો બધી જ જટિલ સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે.

ઘણા લોકોના ઘરમાં ખરાબ નજરના કારણે હંમેશા ઝગડા થતા હોય છે. નોકરી ધંધામાં પણ સફળતા મળતી નથી. આનું કારણ ખરાબ નજર પણ હોઈ શકે છે. કોઈનું આરોગ્ય, પ્રગતિ, વેપાર, કરિયર અને પૈસાને જ ખરાબ નજર નથી લાગતી હસી ખુશીથી ચાલતા સંબંધો અને પ્રેમ જીવન અને ખરાબ નજર બરબાદ કરી નાખી છે.

આજે અમે તમને એક છોડ વિશે જણાવીશું જેનાથી ખરાબ નજર દુર થઇ જશે..શાસ્ત્રોમાં આ છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય એટલે જ માનવામાં આવે છે. આંકડાના છોડનું ધાર્મિક મહત્વ છે, આ છોડને સામાન્ય રીતે લોકો મદાર, આંકડો અને અકુઆ તરીકે ઓળખે છે. પરંતુ કેટલાક લોકો આ છોડને એક સામાન્ય છોડ તરીકે જ ગણે છે.

પરંતુ આ એક મોટી ભુલ છે. આજે અમે તમને જણાવીશું કેટલીક વાસ્તુ ટિપ્સ જેનાથી તમે ઘરને બુરી નજરથી બચાવી શકશો. તમને થશે તરતજ ફાયદો.ધાર્મિક માન્યતા પ્રમાણેઆ છોડમાં સ્વયં ભગવાન ગણેશજીનો વાસ છે, માટે આ છોડ ભગવાન શંકરને પણ ખૂબ પ્રિય છે. જો તેના સફેદ ફૂલો મહાદેવને અર્પણ કરવામાં આવે છે તો તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે. જ્યોતિષીઓના મતે જો આ છોડનું શુભ સમયમાં વાવેતર કરવામાં આવે તો બધી જ જટિલ સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે.

ખરાબ નજર દુર કરવા :- રવિપુષ્ય યોગમાં ઘરના દરવાજા પર આ છોડ લગાવવાથી પરિવારને ખરાબ નજરથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ છોડ ઘરે રહે છે, ત્યાં સુધી, કોઈ પણ પ્રકારની મેલીવિદ્યા, તંત્ર-મંત્ર વગેરેની અસર થતી નથી. દુષ્ટ આત્માઓ, ખરાબ નસીબ અને ખરાબ ગ્રહોની દ્રષ્ટિ પરિવાર પર પડતી નથી.

સંતાન પ્રાપ્તિ માટે :- એમ પણ માનવામાં આવે છે કે, જો સ્ત્રીને કોઈ સમસ્યાને કારણે બાળકનું સુખ ન મળતુ હોય તો રવિવારે પુષ્ય નક્ષત્રમાં તેના મૂળને કમરમાં બાંધી દો. આ સાથે જ મહિલાને ચોક્કસપણે માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. વ્યકિત પર તાંત્રિક ક્રિયા કરવામાં આવી હોય, તો પછી મદારનો એક ટુકડો અભિમંત્રિત કરીને કમરમાં બાંધી દેવો. તેનાંથી તંત્ર મંત્રની અસર બેઅસર થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *