પીરીયડ્સની દરેક સમસ્યા થઇ જશે દુર.. કરો આ સુપરફૂડનું સેવન

દરેક મહિલાને માસિકની સમસ્યા થતી હોય છે. અનિયમિત પીરિયડ્સમાં સ્ત્રીઓનું માસિક એક કે બે મહિનામાં માત્ર એકવાર અથવા એક મહિનામાં બે-ત્રણ વાર થવાની સમસ્યા સર્જાય છે. માસિક અનિયમિત આવવું એ સ્ત્રી માટે ચિંતાજનક હોય છે. માસિક સ્રાવ એ સ્ત્રીઓ માટે દુ:સ્વપ્ન સમાન હોય છે.

આવી સ્થિતિમાં સમસ્યા માંથી બચવા માટે ઉપાય કરવા જોઇએ. હોર્મોન્સમાં ફેરફાર થવા, વજન વધારે હોવું અથવા ઓછું વજન હોવું તેમજ બેઠાડુ જીવનશૈલીના કારણે પણ સ્ત્રીઓમાં અનિયમિત માસિકના મુખ્ય કારણો હોય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાથી પણ અનિયમિત માસિકની સમસ્યા ઉત્પન્ન થાય છે.

પીરિયડ્સમાં થતા ફેરફારથી વજનમાં પણ વધારો થઈ શકે છે. માસિક ધર્મનો દુ:ખાવો યુવતીઓની સામાન્ય સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં પેટનું ફૂલવું, ચહેરા પર વાળ વધવા અને મૂડ સ્વિંગ પણ થઇ શકે છે. આ સ્થિતિને સુધારવા માટે જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે.

અનિયમિત માસિકને સુધારવા માટે નિયમિત કસરત કરવી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત કેટલાક એવા સુપર ફૂડ છે, જેને અપનાવવાથી અનિયમિત માસિકને સુધારી શકે છે. આજે અમે તમને એ સુપર ફૂડ વિશે જણાવી દઈએ, જેનાથી અનિયમિત માસિકની સમસ્યા દુર થઇ જાય છે. ચાલો જાણીએ કે આ સુપરફૂડ કયા કયા છે.

ફ્રુટ :- પપૈયું એક એવું ફળ છે જેમાં કેરોટિન હોય છે, જે એસ્ટ્રોજન હોર્મોનને ઉત્તેજિત કરી શકે છે. પાઈનેપલ ને વિટામિન સી થી ભરપુર ફળ માનવામાં આવે છે, જે બળતરા ઘટાડવામાં મદદગાર છે. લીંબુ, કીવી અને નારંગી પણ અનિયમિત માસિક માટે સારું ગણાય છે. આ સિવાય કેટલીક રસોડામાં મળી રહેતી વસ્તુઓ પણ લાભકારી સાબિત થાય છે.

ગોળ :- ગોળનું સેવન માસિક સ્રાવ માટે સારું કહેવાય છે. તેને એક ગ્લાસ ગરમ પાણીમાં તલ, હળદર સાથે ઉમેરી પી શકાય છે. તેનાથી માસિક નિયમિત આવે છે.

હળદર :- હળદરનું સેવન શરીરના ઘણા રોગ દુર કરે છે. હળદરની તાસીર ગરમ હોય છે, જે ગર્ભાશયમાં લોહીના પ્રવાહને ઉત્તેજીત કરી શકે છે. શરીર પર એન્ટિસ્પેસ્મોડિક અસર છે જે ગર્ભાશયના સમયગાળાને વિસ્તૃત અને પ્રેરિત કરવાનું કારણ બને છે. માસિક સ્રાવની અનિયમિતતા ઘટાડવા માટે હળદરનું દૂધ પીવામાં આવે છે.

બીટ :- બીટરૂટમાં આયર્ન, કેલ્શિયમ અને ફોલિક એસિડ હોય છે. તે પાણીની ખોટ અને બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. આ સામાન્ય સમસ્યા પીરિયડ્સમાં થાય છે, તેથી બીટરૂટને સુપરફૂડમાં સમાવવામાં આવેલ છે. આ પીરિયડ્સ નિયમિત કરવામાં મદદ કરે છે.

આદુ :- આહારમાં આદુનો સમાવેશ કરવાથી માસિકની અનિયમિતતા ઓછી થાય છે. આદુનું સેવન કરવાથી ગરમી બહાર નીકળી જાય છે. પીરિયડ્સને સંતુલિત કરવા માટે આદુના રસને મધ સાથે પીવામાં આવે છે.

અનિયમિત માસિક આવવાનું કારણ :- શરીરમાં ઘણી વધુ આળસ, લોહીની ખામી, મૈથુન દોષ, માસિકના સમયે ઠંડી વસ્તુનું સેવન, ઠંડી લાગી જવી, પાણીમાં મોડે સુધી પલળવું, ખોટું આમ તેમ ફરવું, શોક, ગુસ્સો, દુ:ખ, માનસિક ઉદ્વેગ, અને માસિક ધર્મના સમયે ખાવા પીવામાં બેદરકારી, આ બધા કારણોથી માસિક ધર્મ અટકી જાય છે કે સમય મુજબ નથી થતું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *