કમરદર્દની સમસ્યાથી રાહત મેળવવા કરો આ વસ્તુનું સેવન

ઓફિસોમા કમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવામાં આવે છે અને તેના કારણે એકસમાન અવસ્થામા જ બેસી રહેવુ પડે છે અને લાંબા સમય સુધી એક જ અવસ્થામા બેસી રહેવાના કારણે તમારે કમરદર્દ અને તે સિવાય અનેકવિધ ગંભીર બીમારીઓથી પણ પીડાવું પડી શકે છે.આ ગંભીર સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા માટે આપણે અનેકવિધ પ્રકારની દવાઓનુ સેવન કરતા હોઈએ છીએ પરંતુ, આ દવાઓના સેવનથી કશો જ ફરક પડતો નથી.

અમે તમને અમુક એવા વિશેષ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે આ કમરદર્દની આ સમસ્યામા રાહત મેળવી શકો છો, તો ચાલો જાણીએ.આ સ્મુથી તૈયાર કરવા માટે આ ફળની સાથે કોકોનટ ઓઈલ, કેરી અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી હાડકા સાથે સંકળાયેલ દરેક સમસ્યાને દૂર કરવામા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

દ્રાક્ષમા પુષ્કળ માત્રામા વિટામિન-કે સમાવિષ્ટ હોય છે, જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે અને અમજોદમા ‘યુજેનોલ’ સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીરમા ‘એન્ટિસેપ્ટિક’ તરીકે કામ કરે છે. આ બંને વસ્તુઓને મિક્સ કરીને જે સ્મુથી તૈયાર કરવામા આવે છે, તે તમારી કમરદર્દની સમસ્યાને દુર કરે છે.કીવી સ્મુથી તૈયાર કરવા માટે તમારે અમુક વસ્તુઓની આવશ્યકતા પડે છે. આ સ્મુથી માટે કીવી, દૂધ અને સુગરની આવશ્યકતા પડે છે.

જો તમે કીવીને ક્રશ કરીને તેને દૂધમા ઉમેરીને ત્યારબાદ તમે સુગર ઉમેરીને તેનુ નિયમિત સેવન કરો તો તમને તુરંત કમરદર્દની સમસ્યામાથી રાહત મળે છે. કીવીમા પુષ્કળ માત્રામા વિટામિન્સ અને મિનરલ્સ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે.સ્ટ્રોબેરીમા પુષ્કળ માત્રામા વિટામિન, ખનિજો અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને પુષ્કળ માત્રામા ઉર્જા આપે છે.

જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે આ સ્મુથીનુ સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે અનેકવિધ રીતે લાભદાયી સાબિત થઇ શકે છે.પાઈનેપલ સ્મુથીમા પુષ્કળ માત્રામા ‘બ્રુમોલીન’ સમાવિષ્ટ હોય છે, આ એક અદ્ભુત એન્ઝાઇમ છે જે તમારા શરીરમા થતા દર્દને દૂર કરે છે અને તેમા રાહત અપાવે છે. જો તમે નિયમિત એક ગ્લાસ ‘પાઈનેપલ’ સ્મૂથીનુ સેવન કરો છો તો તમને પીઠદર્દની સમસ્યામા તુરંત મુક્તિ મળે છે.

પાલક અને આદુની સ્મુથી બનાવવા માટે પાલક અને આદુ બંને વસ્તુઓની આવશ્યકતા પડે છે. આ સ્મુથીનુ નિયમિત સેવન તમને કમરદર્દની સમસ્યામા તુરંત રાહત અપાવી શકે છે. પાલકમા લોહતત્વ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે હાડકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય આદુ સ્નાયુઓને નરમ પાડે છે અને તમને શારીરિક પીડાથી પણ રાહત અપાવે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *