હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે અપનાવો ફક્ત આ નિયમો.. સાથે સાથે મળશે અનેક લાભ..

આયુર્વેદ મુજબ સ્વસ્થ શરીર દરેક વ્યક્તિને માટે  ખુબ જરૂરી છે.  જે વ્યક્તિ નું સ્વાસ્થ્ય એકદમ બરાબર રહેતું હોય, તે પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે છે અને ખુશ રહેવા વાળા વ્યક્તિ જ એમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.

જો તમે તમારુ સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ ને રોગ વગરનું બનાવવા માંગતા હોવ તો આ નીચે મુજબ ના નીતી- નિયમો નુ પાલન કરવું  અને હા ચોક્કસ જો તમે આ ચાર નિયમોનું પાલન કરશો તો તમારા જીવન સ્વાસથય અને તમારા પરીવર માટે ફાયદાકારક છે. તો ચાલો જાણી લઈએ એ ચાર નિયમો વિશે..

ચા દ્વારા સવારની શરૂઆત ન કરવી :- ઘણા લોકોની ટેવ હોય છે કે સવારે ઉઠીને તરત ચા પીવી. પરંતુ તમારી પરોઢ ની શરૂઆત ચા કે કોફી થી ન કરવી જોઈએ અને પાણી થી કરવી. નિયમિત પરોઢે ઉઠી ને માટલા નુ પાણી પીવુ જોઇએ. આ ઉપરાંત પાણી હંમેશા નિરાતે એક જગ્યા એ સ્થિર થઇ ને ગ્રહણ કરવુ જોઇએ.

ફ્રિજના પાણીનો ત્યાગ કરવો :- જીવનમા બને તેટલો ફ્રીજ ના કે બરફ ના ઠંડા પાણી નો ત્યાગ કરવો. કારણ કે જ્યારે આ ઠંડુ પાણી શરીર મા પ્રવેશે છે ત્યારે આ પાણી ને ગરમ કરવા તમારા શરીર નુ સમગ્ર લોહી ખેંચાઇ જાય છે. જેના લીધે શરીર મા રક્ત ની ઉણપ સર્જાય છે અને આ રક્ત ના ઉણપ ને લીધે તમે હૃદયરોગ ના શિકાર બની શકો છો તથા તમારી કીડની ફેઇલ થઇ શક છે આ ઉપરાંત લિવર ને પણ હાનિ પહોંચી શકે છે.

જમીને તરત પછી પાણી ન પીવું :- આહાર ગ્રહણ કર્યા ના તુરંત પશ્ચાત કયારેય પણ પાણી ના ગ્રહણ કરવુ. હમેશાં આહાર ગ્રહણ કર્યા ના ૧.૫ કલાક બાદ જ પાણી પીવુ. તમે આહાર ના પાચન માટે છાશ કે દૂધ પી શકો. જો તમે આ ચાર નિયમો ને તમારા જીવન મા ઉતારી લેશો તો તમે પેટ મા ગેસ થવો , બળતરા થવી , ખાટા ઓડકાર આવવા , કબજિયાત થવી , ભૂખ ના લાગવી , ઊંઘ ના આવવી વગેરે જેવી સમસ્યાઓ મા થી મુક્ત થઇ જશો.

ધીમે ધીમે પાણી પીવું :- જ્યારે પણ પાણી પીવો ત્યારે હળવે-હળવે પીવુ જેથી તમારી મોં ની લાળ તેમા ભળી જાય. આ મોં ની લાળ ક્ષારીય હોય છે અને આપણા પેટ મા એસિડ રહેલુ હોય છે. આ બંને જ્યારે એકબીજા મા ભળે ત્યારે જ ન્યુટ્રલ થાય છે અને જો તમારુ શરીર ન્યુટ્રલ રહે તો તમને કોઇ રોગ થવા ની સંભાવના ઘટી જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *