વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સજાવટ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ.શેતરંજી કે ગાલીચો ઉત્તમ કક્ષાનો રાખવો.

ભલે એ સસ્તો હોય પરંતુ સુતરાઉ, જૂટ કે ઊનથી બનેલો હોય એ ધ્યાન રાખવું.કાળો, લાલ, ભૂરો, સિંદૂર કલરનો ગાલીચો ફર્શ પર ન લગાવવો. એવું કરવાથી માનસિક તણાવ વધે છે અને એનો પ્રભાવ સમગ્ર જીવનચક્ર પર પડે છે.કાબરચીતરો, અવ્યવસ્થિત ડિઝાઈનવાળો, દેવી-દેવતા કે મહાપુરુષોનાં ચિત્રવાળો ગાલીચો કે શેતરંજી ન પાથરવી.

યુરોપમાં લોકો આને ફેશન માને છે, પરંતુ એના દુષ્પ્રભાવથી કોઈ બચતું નથી. ભલે ગમે તે ધર્મના હોવ પરંતુ અન્યના ધર્મને અપમાનિત કરવા આવું ન કરવું.પથ્થર અને ટાઈલ્સ લગાવો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે એનો આકાર વર્તુળ, સમચોરસ કે ચોરસ હોવો જોઈએ. લંબાઈ-પહોળાઈ પણ યોગ્ય હોવી જોઈએ.

પથ્થરના કિનારા એ પ્રકારે સમતલ-સરખા કપાયેલા હોય કે એકબીજાને જોડતી વખતે એમાં છેદ ન રહે.ટાઈલ્સ કે પથ્થર ‘એલ’ની આકૃતિ કે લાંબી પટ્ટીઓમાં ન હોવા જોઈએ. ત્રિકોણ, વિકૃત આકારના વાંકા પથ્થર પણ ન લગાવવા.પથ્થરને એ પ્રકારે ઘસવો કે એની સપાટી સંપૂર્ણ સમતલ થઈ જાય.

ઊબડખાબડ વિકૃત પથ્થર ન લગાવવો.પથ્થરને જોઈને લગાવવા, તૂટેલા, ફૂટેલા, ખરાબ કિનારીવાળા, બેકાર રંગના ન લગાવવા.પથ્થર અને ટાઈલ્સ લગાવતા સમયે ધ્યાનમાં રાખો કે ફર્શ સમતલ અને ઊબડખાબડ ન રહે.નૈઋત્ય ખૂણા માં પૃથ્વી તત્વ નું સ્થાન છે.

આ દિશા માં અલમારી, સોફા, મેજ વગેરે સામાન રાખવો જોઈએ. વાયવ ખૂણા માં વાયુ દેવતા નું સ્થાન છે. આ દિશા માં બારી, વેન્ટીલેટર વગેરે હોવું જોઈએ. ઇશાન ખૂણા ને ખુબ જ શુભ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે અહી ઘર નું મંદિર હોવું જોઈએ.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago