ઘરથી બહાર પગ રાખતા પહેલા કરી લો આ 8 કામ, દિવસ જશે સારો અને દરેક કાર્ય થશે પૂર્ણ

ઘરમાંથી બહાર નીકળયા પછી તમારી સાથે શું થશે એ વિશે કંઈ પણ કહી શકાતું નથી. એવું પણ બની શકે કે તમારો દિવસ નસીબ વાળો હોય અથવા એ પણ બની શકે કે એ દિવસ તમારા માટે સૌથી ખરાબ બની જાય. દરેક ના મનમાં એ ડાઉટ હંમેશા રહેતો હોય છે કે બહાર ગયા પછી આપણો દિવસ સારો રહેશે કે ખરાબ.

આ વસ્તુ ત્યારે વધારે મહત્વની બની જતી હોય છે જ્યારે આપણે ઘરમાંથી કોઈ જરૂરી કામ થી બહાર જઇ રહ્યા હોઈએ. આવી પરિસ્થિતિમાં આપણે એટલું જ ઈચ્છીએ છીએ કે આપણો મહત્વનું કાર્ય સારી રીતે પૂર્ણ થઈ જાય.

આવી પરિસ્થિતિમાં જો તમે ઘરની બહાર પગ મૂકવા પહેલા કેટલાક વિશેષ વસ્તુનું ધ્યાન રાખો તો તમારું દરેક કાર્ય સફળ થશે અને તમને સફળતા જરૂર મળશે. આજે અમે તમને એટલા જ કેટલાક મહત્વના કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કોઈપણ જરૂરી કામ માટે ઘરમાંથી બહાર નીકળતા પહેલા યાદ રાખો કે તમે રાહુકાળ માં નીકળો. રાહુકાળ થી પહેલા અથવા તારા રાહુકાળ પછી ઘર માંથી નીકળવું જોઈએ.  ઘરમાંથી બહાર જતા પહેલા દિશા શૂલ જરૂરથી જોઈ લેવું એક સારો આઈડિયા હોય છે.

તેનાથી તમને કોઈ વિશેષ દિવસે કઈ દિશામાં જવું લાભકારી અથવા હાનિકારક થશે, તેની ખબર પડી જતી હોય છે. જો કોઈ કારણસર વિષમ દિવસ માં વિષમ દિશામાં યાત્રા કરવી પડે તો તેનો ઉપાય કરીને યાત્રાને સુખદ અને સફળ બનાવી શકાય છે.

જરૂરી કામ થી ઘરની બહાર રહો તો પહેલા દહીં અને સાકર જરૂરથી ખાઓ અને પછી જ બહાર જાઓ. આવું કરવાથી તે કામમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. જ્યારે પણ ઘરમાંથી નીકળો તો હંમેશા જમણો પગ ઘરની બહાર રાખવો જોઈએ.

આ દરમ્યાન શ્રી ગણેશાય નમઃ બોલતા આગળ વધવું જોઇએ. તમને દરેક કામમાં સફળતા જરૂરથી મળે છે. જો તમારું કામ ખૂબ જરૂરી છે અને તમને શક છે કે તે કામ બગડી શકે છે. તો ઘરમાંથી બહાર નીકળતી વખતે મોઢામાં તુલસીના પાન રાખી દો. પરંતુ એટલું ધ્યાન રાખો કે તુલસી ના પાન ને તમે ચાવો નહીં.

જ્યારે પણ ઘરની બહાર નીકળો તો તુલસી ના પાનને ચાવી શકો છો.  કામ સારી રીતે પૂર્ણ થાય એટલા માટે ઘરની બહાર જતા પહેલા તમારા ઈષ્ટદેવની પૂજા, પાઠ અને આરાધના જરૂરથી કરવી જોઈએ. તેમના આશીર્વાદ લઈને જ ઘરમાંથી બહાર નીકળવું જોઈએ. તેમના આશીર્વાદ લઈને ઘરમાંથી બહાર નીકળશો તો કામ સારી રીતે અને જલ્દી જ પૂર્ણ થઈ જશે.

ઘરમાંથી બહાર નીકળતી વખતે પહેલા દરવાજાની બહાર કેટલીક મરીના દાણા નાખી દો. ત્યારબાદ તેની ઉપર પગ રાખીને નીકળી જાઓ. આ દરમિયાન પાછળ ફરીને ન જુઓ. ઘરની બહાર જતા પહેલા અરીસામાં તમારો ચહેરો જરૂરથી જુઓ. આવું કરવું તે શુભ માનવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *