જો ઘરમાં ના થાય આ કામ તો નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.

જીવનમાં કોઈ એવી સમસ્યા નથી હોતી કે જેનો ઉપાય કે હલ ના હોય પરંતુ મનુષ્ય આવી નાની મોટી સમસ્યા જોઇને ડરી જાય છે. તેથી તેનું મન વિચલિત થઇ જાય છે અને તેને કોઈ રસ્તો નથી સુજાતો.દરેક લોકો એમની સમસ્યા નો ઉકેલ લાવવા માટે પુરા પ્રયત્ન કરે છે પરંતુ ઉકેલ આવી શકતો નથી.

આજે અમે જણાવીશું કેટલાક આસન અને સરળ ઉપાયો જેનાથી જીવનની દરેક તફ્લીફો થશે દુર. તો ચાલો જાણી લઈએ એ ઉપાયો વિશે,..દરેકના ઘરમાં સવારે કે સાંજે પૂજા દરમિયાન રોજ દીવો કરવામાં આવે છે. સવારે તો સૂર્ય નારાયણ સાક્ષાત તપતાં હોય છે.તેથી અંધકારને સ્થાન જ નથી હોતું.

પણ કહેવાય છે કે જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થતું હોય તે ચારેય વેળા કાળે એટલે કે સંધ્યાટાળે દીવો કરવો જોઈએ. આમ કરવાથી યમરાજના આશીર્વાદ મળે છે. તેનાથી ઘરમાં કોઈનું અપમૃત્યુ થતું નથી.ઘરમાં પૂજા સ્થાન પર રોજ સાંજે દીવો કરવો જોઈએ. ક્યારેક દીવો કરીને પછી લાઈટ બંધ કરીને બેસજો.

મનને એક શાંતિનો અનુભવ થાય છે. શરીર એક દિવ્યતાનો અનુભવ કરે છે. મનના અનેક ભાવો સ્થિર થઈ જાય છેઅને પરમ તત્ત્વની હાજરીનો અહેસાસ થાય છે.અગ્નિ એટલે કે પ્રકાશ એ તેમના માટે પ્રાણઘાતક હોય છે. તેથી જ્યાં પણ પ્રકાશ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે.

તેથી ખાસ કરીને સંધ્યા ટાળે ઘરમાં દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેતી રહે છે.સંધ્યા સમયે ઘરમાં દીવો કરો તો ફૂલ વાટનો દીવો કરવો અને બે દિવા કરવા. ક્યારેય આડી વાટનો દીવો ભગવાન પાસે કરવો નહિં. અખંડ દીવો હોય તો જ આડીવાટનો દીવો કરવો. આ ઉપાયથી જીવનમાં ચાલતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.

આપણે ત્યાં દીપ દર્શનનું વિશેષ મહત્વ છે. દરરોજ ઘરમાં દિવા કરવાથી અનેક દુષ્પ્રભાવ માંથી બચી જવાય છે. રાત પડે ત્યારે નકારાત્મક શક્તિઓ હાવી થઈ જતી હોય છે.જો ઘરમાં દીવો ન થાય તો અંધકાર રહે છે. તેથી નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

10 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

10 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

10 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

10 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

10 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

10 months ago