હિંદુ ધર્મ મુજબ ગર્ભવતી સ્ત્રીના ગર્ભના દોષોનું નિવારણ કરવા માટે કરવામાં આવે છે આ પૂજા

માતૃત્વ એ એક અનોખો અનુભવ હોય છે, જે પોતાની સાથે અનેક જવાબદારી, કેટલીક માન્યતા અને કાંઈક ડર પણ લઈ આવે છે. ખાસ કરીને, પ્રથમવાર જે સ્ત્રી માતા બની રહી છે, તેમને આવો અનુભવ મોટા પ્રમાણમાં થતો હોય એવું લાગે છે. હિંદુ ધર્મ ની એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ

જે લગભગ હિંદુ ધર્મમાં દરેક લોકો કરતા હોય છે. એની સાથે ખાસ નિયમ પણ જોડાયેલા હોય છે. હિંદુ ધર્મ માં સંતાન ના જન્મ સાથે થોડી પરંપરા પણ જોડાયેલી હોય છે, જેમાંથી એક છે.હિંદુ ધર્મ માં ગર્ભવતી સ્ત્રી ના સાત માં મહિના ના સમય દરમિયાન સીમત ની વિધિ કરવામાં આવે છે. જે એક પ્રકારનો પરિવાર માટે એક ખુશી નો પ્રસંગ બની જાય છે.

એ પછી ડિલીવરી માટે એ મહિલાને એમના પિયર મોકલી દેવામાં આવે છે.ક્યારેય તમે વિચાર કર્યો છે કે આ પરંપરા શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણી લઈએ કે ગર્ભવતી મહિલા નું સીમત શા માટે કરવામાં આવે છે. સીમંત વિધિ, જેને દરેક લોકો અલગ અલગ નામથી ઓળખે છે

જેમ કે અમુક લોકો એણે ગોદ ભરાઈ કહે છે તો અમુક લોકો ખોળો ભરવાની વિધિ કહે છે.માન્યતા છે કે સીમત ની પૂરી વિધિ આવનારા બાળક ના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. એ સમયે વિશેષ પૂજા કરીને ગર્ભ ના દોષો નું નિવારણ તો કરવામાં આવે જ છે અને સાથે જ ગર્ભ માં રહેલા બાળક ના સ્વાસ્થ્ય માટે આ પૂરી પ્રક્રિયા કરવામાં આવે છે.

ગર્ભવતી મહિલા ને સીમત વિધિ માં મોટા વડીલો ના આશીર્વાદ તો મળતા હોય છે. આ સીમત વિધિ ની રસમ માં ગર્ભવતી મહિલા ના ખોળા માં સૂકોમેવો નાખવામાં આવે છે, ફળ અને સુકોમેવા પૌષ્ટિક હોય છે. જે બાળક અને ગર્ભવતી મહિલા બંને ના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *