ગુણવાન સંતાન પ્રાપ્તિ માટે ગાય માતા ગણાય છે શુભ, જાણો ફેંગશુઈ ગાયના લાભ..

ગાય પૃથ્વીનું પ્રતિક છે. ભારતમાં ગૌધનને મુખ્ય ધન માનવામાં આવે છે. પૌરાણીક કથાઓ મુજબ દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા સમુદ્ર મંથન માંથી નીકળેલા 14 રત્નો માંથી એક કામઘેનુ ગાય હતી. ગાયના પ્રતિકના રૂપમાં ઘરમાં સ્થાપિત કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.

રામાયણ, મહાભારત, ભગવદ ગીતામાં પણ ગાયના કોઈને કોઈ રૂપમાં ઉલ્લેખ મળે છે. ગાય, ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. ચીની વિદ્યા ફૂંગશુઈ માં એમ તો અનેક ગેજેટ પ્રચલિત છે, પરંતુ ગાય ને વિશિષ્ટ મહત્વ પ્રાપ્ત છે. ફેંગશુન નું પણ માનવું છે કે ગાય કામધેનું એટલે કે કામના પૂરી કરવા વાળી અને માનસિક શાંતિ પ્રદાતા છે.

એવું માનવામાં આવે છે કે એમના વાછડા ને દૂધ પીવડાવતી ગાય ના પ્રતિક રૂપ ને ઘર માં સ્થાપિત કરવાથી માત્ર યોગ્ય સંતાન ની જ પ્રાપ્તિ નથી થતી, પરંતુ એવા સંતાન ને ક્યારેય ધન નો અભાવ નથી થતો.

ફેંગશુઈ માં ગાય ના મહત્વ ને લગભગ એ પ્રકારે સ્વીકારવામાં આવ્યું છે જે પ્રમાણે હિંદુ ધર્મ સંસ્કૃતિ માં છે. હિંદુ માન્યતા ની અનુસાર ગાય માં ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ માનવામાં આવે છે. તેથી ગાય ને માતા સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ફેંગશુઈ ગાય ને સ્થાપિત કરવાના છે ઘણા લાભ : બજારમાં આ ફેંગશુઈ ગાય ઘણા રૂપો માં મળે છે. એમાં થી જ એક રૂપ છે, એમના વાછરડાને સ્તનપાન કરાવતી ગાયનું રૂપ. ફેંગશુઈ નું માનવું છે કે આ પ્રતિક રૂપને ઘર માં સ્થાપિત કરવાથી નિસંતાન જેવી સમસ્યાઓ થી મુક્તિ મળે છે અને સ્વસ્થ તેમજ ગુણવાન સંતાન ની પ્રાપ્તિ થાય છે.

તેમજ મુદ્રા એટલે કે સિક્કા ના ઢગલા પર બેસેલી ગાય નું પ્રતિક રૂપ ફેંગશુઈ માં ખાસ લોકપ્રિય છે. આવું પ્રતિક રૂપ ક્યાંય પણ સ્થાપિત કરી શકાય છે. જો કે પરિવાર તેમજ સંસ્થાન માટે સૌભાગ્ય તેમજ સમૃદ્ધી આમંત્રિત કરે છે. અને ઘરમાં સમાનતા જળવાઈ રહે છે.

વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ મુજબ કુટુંબમાં સુખ-સૌભાગ્ય વધારવા માટે ગાય રાખવી જોઈએ. તેના વાછરડાને દૂધ પીવરાવી રહેલી ગાયના પ્રતિકના રૂપમાં ઘરમાં સ્થાપિત કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. માતા પિતા અને સંતાનમાં આંતરિક પ્રેમ જળવાઈ રહે છે.

ગૌમાતામાં બધા દેવી દેવતા દ્રશ્યમાન રહે છે.  જો અશાંતિ બની રહેતી હોય તો એવા વ્યક્તિઓ ને માનસિક શાંતિ મેળવવા માટે ફેંગશુઈ ગાય ને ઘર માં સ્થાપિત કરવી જોઈએ. આ ફેંગશુઈ ગાય માત્ર માનસિક શાંતિ પ્રદાન કરે છે, સાથે આપણી ઉચિત ઈચ્છાઓ ને પૂરી કરવામાં મદદગાર પણ સાબિત થાય છે.

ગાય ને ઘર માં રાખવાથી ઘર માં ખરાબ શક્તિ પ્રવેશ કરતી નથી અને ઘર માં શાંતિ બની રહે છે. આવી ગાય ને રાખવાથી ઘર માં ખુશી બની રહે છે અને ઘરમાં માન સમ્માન જળવાઈ રહે છે.તેથી ગાય ને માતા સ્વરૂપ આપવામાં આવ્યું છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *