ફેક્ટરીઓની છત પર ગોળ ગોળ ફરતો બોલ શું હોય છે? જાણો શા માટે રાખવામાં આવે છે આ વસ્તુ

તમે ઘણી ફેક્ટરીઓ અથવા કારખાનાઓ ઉપર એક ગોળ ફરતી વસ્તુ જોઈ હશે અને એ જરુર વિચાર્યું હશે કે આ વળી શું છે અને ઉપયોગી શું છે? આજે અમે તમને તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ ગોળ ફરતી વસ્તુને ખરેખર વિંડ વેન્ટિલેટર કહે છે, જેનું કામ ફેક્ટરીઓમાંથી ઉત્પાદિત ચુસ્ત ગેસ તેમજ ગરમ હવાને ફેક્ટરીઓમાંથી બહાર કાઠવાનું હોય છે.

તેને ઓદ્યોગિક શેડની છત ઉપર લગાવામા આવે છે. ફેક્ટરીની અંદરની ગરમ હવા હલકી હોવાના કારણે વેન્ટિલેટરની ટર્બાઇનમાં એકઠી થાય છે. વેન્ટિલેટરની બ્લેડ વિરુધ્ધ દિશામાં ગતી કરે છે, જે રુમમાંથી વધારાની ગરમ હવાને ટર્બાઇનમા ખેંચે છે. તે જ સમયે છત ઉપરથી ફૂંકાતા કુદરતી પવનની મદદથી ટર્બાઇનના આરપીએમ વધે છે.

જેવી રીતે ગરમ હવા બહાર નીકળી જાય છે, તેવી જ રીતે તાજી હવા બારી અને દરવાજા ખોલવાથી પ્રવેશ કરવા લાગે છે. તેનાથી ફેક્ટરીની બહાર અને અંદરના તાપમાનમાં કોઈ અંતર પડતો નથી અને દુર્ગંધની સમસ્યાથી પણ છુટકારો મળે છે. જો તેને લાગાવામા ન આવે તો, બહારનુ તાપમાન ફેક્ટરી અથવા ફેક્ટરીનું તાપમાન કરતા ખૂબ વધારે .

તેના બે પ્રકાર છે

૧). કુદરતી ડ્રાફ્ટ પ્રકાર (Natural Draft Type) : તેનુ પહેલુ કામ ફેક્ટરીમાંથી ગરમ હવા અથવા પ્રદૂષિત હવાને બહાર કાઠવાનું છે.અને ત્યાર પછી વાતાવરણ માથી તાજી હવાને અંદર લાવાનુ છે જેથી ફેકટરીની અદર તાપમાન સારુ જળવાય રહે અને ફેક્ટરીના સાધનો વધારે ગરમ ના થાય.

૨). ફોર્સ્ડ ડ્રાફ્ટ પ્રકાર  (Forced Draft Type) : બીજું, તે યાંત્રિક બ્લોઅર્સ અથવા બ્લાસ્ટર્સથી સજ્જ છે જે વાતાવરણમાંથી તાજી હવા લઇને અને ગરમ હવાને અંદરથી બહાર કાઠે છે. શિયાળામાં ભેજ ઉપરની દિવાલો સુધી જઇ શકે છે અને છતમાંથી નીચે ઝબૂકવાનું કારણ બની શકે છે. જો તાપમાનમાં ઘટાડો વધુ  થાય છે, તો ઠંડી વધે છે અને પાણી નીચે ફ્લોર પર પડી શકે છે. કોઈ પણ સંજોગોમાં તે અનુકૂળ છે. આ વેન્ટિલેટર આ કિસ્સામાં એટિકમાંથી પદાર્થને દૂર કરવામાં મદદ કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *