ઘણી વાર મસ્સા ચહેરા પર થાય તો તે આપણી સુંદરતાને અસર કરે છે, ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક પગલાંઓ લે છે. શરીર પર મસા ઘણી વખત કેન્સરનું પણ સ્વરૂપ લઇ લે છે. આવી સ્થિતિમાં શરીર માંથી મસાઓ દૂર કરવા જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, મસાઓ દૂર કરવાની રીતો..
ફક્ત આ એક ડુંગળીના ઉપાયથી તમે આ મસાઓથી છુટકારો મેળવી શકો છો. આ તમારી માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આ રેસીપીનો ઉપયોગ કરીને તમે ઘરે જ સરળતાથી મસાઓ દૂર કરી શકશો. તો ચાલો જાણી લઈએ કે ડુંગળીની મદદથી મસ્સા કેવી રીતે દૂર કરવા?
કેન્સરને કારણે થઈ શકે છે મસ્સા : જો તમારે જન્મથી જ મસ્સાની સમસ્યા હોય છે, તો તે નુકશાન નથી કરતા, પરંતુ જો મસ્સા જન્મ પછી થયા હોય કે પુખ્તવય થયા પછી મસ્સા થાય, તો તે એક કેન્સરનું કારણ પણ બની શકે છે. જો કોઈ વ્યક્તિને ૩૦ વર્ષની ઉંમર પછી મસાઓ થાય છે, તો તે વ્યક્તિને કેન્સર થવાનું જોખમ રહે છે.
કઇ પરિસ્થિતિમાં થાય છે મસ્સાનું જોખમ : જો તમારા મસ્સામાંથી લોહી નીકળે છે, તો તેને અવગણશો નહીં. મસાઓમાં ખંજવાળ આવે છે, તો તેને ધીરજથી ના લો. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તરત જ ડોકટરોની સલાહ લો.
મસ્સાઓ કેમ થાય છે? જન્મજાતથી મસ્સા હોય તો તે સામાન્ય હોય છે, પરંતુ જન્મ પછી મસ્સાઓ થાય તો તેનું મુખ્ય કારણ ચેપ હોઈ શકે છે. આ મસ્સાઓનું કારણ પેપિલોમા નામનો વાયરસ હોઇ શકે છે. ત્વચા ઉપર પેપિલોમા નામના વાયરસથી નાના, કાળા, બરછટ ફોલ્લીઓ બહાર આવે છે, તેને જ મસ્સા કહેવાય છે.
મસ્સાનો સામાન્ય રંગ ઘાટો કાળો અથવા ભુરો હોય છે. પરંતુ ઘણી વાર તે સ્કિન કલરમાં પણ હોય છે, જે ઘણી વખત દેખાતા નહી. મસ્સા ૮ થી ૧૨ પ્રકારના હોઇ છે, જેને ઘરેલું ઉપચાર અને ડોક્ટરની સલાહ લઈને દૂર કરી શકાય છે.
કેટલાક લોકો મસ્સાને પોતાના હાથથી જ કાપી નાખે છે અથવા ફોડે છે. પરંતુ આ કરવું શરીર માટે હાનિકારક થઇ શકે છે. કારણ કે તેમાં હાજર વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાય શકે છે. આ સિવાય આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમા પણ પહોંચી શકે છે.
ડુંગળી માંથી આ રીતે હટાવી શકો છો મસ્સા : ડુંગળી શરીર માટે દરેક સ્વરૂપે ફાયદાકારક હોઇ શકે છે. કાચા કચુંબરથી લઈને તેનો રસ શરીર માટે પણ ફાયદાકારક છે. મસ્સાને દૂર કરવા માટે ડુંગળી એ એક રામબાણ સિધ્દ્ધ થઈ શકે છે. શરીર પરના મસ્સાને દૂર કરવા માટે, નિયમિત ૩૦ દિવસ સુધી ડુંગળીનો રસ મસ્સા પર લગાવવો. ડુંગળીનો રસ લગાવવાથી વાયરસ નાશ થાય છે અને તે મૂળમાથી દુર થઈ શકે છે.
Leave a Reply