આ મંદિરની સ્થાપના અગસ્ત્ય ઋષિ દ્વારા કરવામાં આવી હતી,જ્યાં ભગવાન શિવની પૂજા શિવલિંગના રૂપમાં નહીં પણ પ્રતિમા તરીકે થાય છે.

આજે આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના એક મંદિરની વિશે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અહીંની મૂર્તિનું કદ વર્ષ-દર વર્ષ વધતું જાય છે.આ મંદિર ભગવાન શંકર અને પાર્વતીનું છે અને વિશેષ વાત એ છે કે અહીં સ્થિત નંદીની મૂર્તિનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખુદ પુરાતત્ત્વીય સર્વે વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે. ચાલો તેના વિશે જાણીએ.

આંધ્રપ્રદેશના કુર્નુલમાં શ્રી યંગેતી ઉમા મહેશ્વરા નામનું મંદિર આવેલું છે. પોતાનામાં આ અનોખા મંદિર વિશે કહેવામાં આવે છે કે નંદીની પ્રતિમાના વધતા કદને કારણે રસ્તામાં આવતા કેટલાક સ્તંભોને કાઢવા પડ્યા અને આ પ્રતિમા આજે પણ વધી રહી છે.તેવામાં નંદીની આજુબાજુના અનેક સ્તંભોને એક પછી એક કાઢાવી નાખવા પડે છે.

આ મંદિરનું નિર્માણ વૈષ્ણવ પરંપરા અનુસાર કરવામાં આવ્યું છે. તે ૧૫ મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશના રાજા હરિહર બુક્કા રાય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર હૈદરાબાદથી ૩૦૮ કિમી અને વિજયવાડાથી ૩૫૯ કિમી દૂર સ્થિત છે.જે પ્રાચીન કાળના પલ્લવ, ચોલાસ, ચાલુક્યો અને વિજયનગર શાસકોની પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

ત્યાં એક અન્ય માન્યતા અનુસાર આ મંદિરની સ્થાપના અગસ્ત્ય ઋષિ દ્વારા કરવામાં આવી હતી. તે અહીં ભગવાન વેંકટેશના મંદિરનું નિર્માણ કરવા ઇચ્છતા હતા,પરંતુ નિર્માણ સમયે પ્રતિમાના અંગૂઠો તૂટી જવાને કારણે સ્થાપના અધવચ્ચે જ રોકી દેવી પડી. તેનાથી નિરાશ અગસ્ત્ય ઋષિ ભગવાન ભોલેનાથની તપશ્ચર્યા માં લાગી ગયા.

ત્યારે ભોલેનાથ પ્રસન્ન થઈને કહ્યું કે અહીં તેમનું મંદિર બનાવવું યોગ્ય રહેશે.અહીં ના વિશે સ્થાનિક લોકો કહે છે કે જ્યારે અગસ્ત્ય ઋષિ તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે કાગડાઓ તેમને ખલેલ પહોંચાડી રહ્યા હતા. તેનાથી ગુસ્સે થઈને ઋષિ એ શાપ આપ્યો કે હવે તે અહીં ક્યારેય નહીં આવી શકે. કાગડો શનિદેવનું વાહન માનવામાં આવતું હોવાથી અહીં શનિદેવનો વાસ પણ નથી હોતો.

આજે પણ આ મંદિરમાં કોઈ નથી આવતું. ભક્તોનું માનવું છે કે મંદિરમાં ભગવાન શ્રી શંકર અને માતા પાર્વતીની મૂર્તિની સામે આવેલી નંદીની પ્રતિમા પહેલાં ખૂબ જ નાની હતી.કહેવામાં આવે છે કે અહીં આવતા વૈજ્ઞાનિકો પણ કહે છે કે દર ૨૦ વર્ષે નંદીની મૂર્તિમાં એક ઇંચનો વધારો થઈ રહ્યો છે.

તેઓનું માનવું છે કે મૂર્તિ જે પથ્થર થઈ બની છે,તેની પ્રકૃતિ વિસ્તાર વળી છે. અહીં શિવ-પાર્વતી અર્ધનારીશ્વરના રૂપમાં બેસે છે અને આ મૂર્તિને એકલા પથ્થરની કોતરણીથી બનાવવામાં આવી છે. તે કદાચ આ પ્રકારનું પહેલું એવું મંદિર છે,જ્યાં ભગવાન શિવની પૂજા શિવલિંગના રૂપમાં નહીં પણ પ્રતિમા તરીકે થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *