રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનિત સિરિયલ ‘અનુપમા’માં આ દિવસોમાં આખી સ્ટોરી નાની અનુની આસપાસ ફરે છેં. સિરિયલમાં સતત ટ્વિસ્ટ અને ટર્ન્સ આ દિવસમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ‘અનુપમા’ની ટીઆરપી રેટિંગ વધી છે.
રૂપાલી ગાંગુલી અભિનિત સિરિયલ અનુપમા’ વર્ષ 2023ની શરૂઆતથી જ ટોચ પર રહી છે. ગયા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે નાની અનુ માયા સાથે જવા માટે તૈયાર થઈ જાય છે અને તેની સાથે જવાની જીદ કરવા લાગે છે.
આવી સ્થિતિમાં અનુપમા તેને કાપડિયાના ઘરે આવીને રહેવા દે છે, પરંતુ અનુજને આ બિલકુલ પસંદ આવતું નથી. પરંતુ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનિત ‘અનુપમા’માં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.
અનુજ-અનુપમા વચ્ચે ડિસ્ટન્સ આવી જશે.
ટૂંક સમયમાં જ ‘અનુપમા’માં જોવા મળશે કે માયાના કારણે અનુજ અને અનુપમા વચ્ચે પણ અંતર વધવા લાગશે. માયાને કાપડિયાના ઘરે આવવા દેવાથી અનુજ માયા પર ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે કે તું મારી છોટીની જવાબદારી છોડી રહી છે?
અનુપમા જવાબમાં કહે છે, “આવું વિચારતા પહેલા હું મરી જઈશ. જ્યારે છોટી મારા ખોળામાં બેસીને માયાનુ રટણ કરે છે ત્યારે મારું દિલ તૂટી જાય છે, પરંતુ હું મારા દિલના હજાર ટુકડા કરવા તૈયાર છું.
અનુપમા માયાને કાપડિયાના ઘરે આવીને રહેવા દેશે.
ફેમસ સિરિયલ અનુપમામાં આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુપમા માયાને કાપડિયાના ઘરે આવીને રહેવા દે છે. અનુપમા આવતાની સાથે જ માયાને કહે છે, અમે તમારી અને છોટી વચ્ચે નહીં આવીએ, પણ તું પણ કોઈ રમત ના રમ.આ સાથે અનુપમા માયાને 15 દિવસનો સમય આપે છે કે જો તે 15 દિવસમાં છોટીનું દિલ નહીં જીતી શકે તો તે આપોઆપ આ ઘર માંથી નીકળી જશે.
છોટીનું દિલ જીતવા માયા પ્રણ લેશે..
‘અનુપમા’માં જોવા મળશે કે માયા અને અનુપમા બંને કાન્હાજીની સામે શપથ લે છે. માયા એક તરફ કહે છે કે જો હું 15 દિવસમાં તેનું દિલ નહીં જીતી શકું તો હું પોતે જ પીછેહઠ કરી લઈશ. તે જ સમયે, અનુપમા પણ પ્રતિજ્ઞા પણ લે છે કે જો તમે 15 દિવસમાં છોટીનું દિલ જીતી લો, તો અમે તમારા માર્ગ માંથી જાતે જ હટી જઈશું.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…