જ્યોતિષ

આ શંખ ઘરમાં રાખવાથી અને રોજ તેની પૂજા કરવાથી તમે ઈચ્છો છો તે તમને મળી જાય છે

કુદરતી રીતે શંખ ઘણા પ્રકારના હોય છે. દેવ શંખ, ચક્ર શંખ, રાક્ષસ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છ શંખ, સિંહ શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ વગેરે.જેમાંથી એક શંખ કામધેનુ શંખ પણ છે. આ શંખ ખૂબ જ ખાસ શંખ છે અને દુર્લભ પણ છે. આ શંખનો આકાર ગાયના મુખ જેવો હોય છે. એટલા માટે તેને કામઘેનુ શંખ કહેવામાં આવે છે.

ઘરમા કામધેનુ શંખ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પૂજા ઘરમાં કામઘેનુ શંખ રાખવો શુભ ફળ આપે છે. અને તે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તેની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. કામઘેનુ શંખ સાથે અસંખ્ય લાભ જોડાયેલા છે, જે આ મુજબ છે.ઘરમાં કામઘેનુ શંખ રાખવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

જે લોકો તેના ઘરમાં આ શંખ રાખે છે અને તેની પૂજા કરે છે. તેના ઘરમાં ધનની ખામી નથી રહેતી. શંખ સાથે જોડાયેલી કથા મુજબ મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે આ શંખની પૂજા કરી હતી. આ શંખની પૂજા કરવાથી મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને ધન-ધાન્યની પ્રાપ્તિ થઇ હતી.કામઘેનુ શંખની પૂજા કરવાથી મનોકામનાનું પૂર્તિ થઇ જાય છે.

આ શંખ ઘરમાં રાખવાથી અને રોજ તેની પૂજા કરવાથી જે તમે ઈચ્છો છો તે તમને મળી જાય છે. એટલા માટે જો તમારી કોઈ ઈચ્છા છે. જેને તમે પૂર્ણ કરવા માગો છો, તો ઘરમાં આ શંખ લઇ આવો અને રોજ તેની પૂજા કરો.કામધેનુ શંખની પૂજા કરવાથી તર્ક-શક્તિ વધે છે અને વાણી ચાતુર્ય પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ શંખની પૂજાથી માનસિક શાંતિ પણ બની રહે છે.

આથી વિચારો પર સંતુલન બનાવી રાખવા માટે આ શંખની પૂજા જરૂરથી કરવી જોઈએ.ઋગ્દેવના જણાવ્યા મુજબ કામઘેનુ શંખમાં 33 દેવોની શક્તિઓ સમાયેલી છે અને આ શંખનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે કોઈ શુભ દિવસે મંદિરમાં કામઘેનુ શંખનું દાન જરૂર કરી દો. એમ કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે.ઘણા લોકોના ઘરમાં ધન નથી ટકી શકતું.

આ શંખને ઘરે લઇ આવો અને આ શંખને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન ટકવા લાગશે અને આવકમાં વૃદ્ધી થશે.માનસિક શાંતિ મળે છે. કામઘેનુ શંખની પૂજા કરવાથી તર્કશક્તિ અને વાણી શક્તિ મજબુત બને છે. સાથે જ માનસિક શાંતિ પણ યોગ્ય જળવાઈ રહે છે.રોજ સવારે સ્નાન કર્યા પછી મંદિરની સફાઈ કરો અને શંખને શુદ્ધ પાણીથી સાફ કરો. શંખને કોઈ સ્વચ્છ કપડા ઉપર રાખો. ધ્યાન રાખશો કે શંખને ક્યારે પણ સીધો જમીન ઉપર ન રાખો.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago