શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળામાં લોકો સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે કારણ કે, આ સિઝનમાં ગમે તેવો ભારે ખોરાક લેવામાં આવે તો પણ પચી જાય છે. એવામાં ઈંડા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
મોટાભાગના લોકોને આમલેટ વધારે પસંદ હોય છે. પણ જો તમે આમલેટના બદલે રોજ બાફેલું ઈંડુ ખાવ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એમાંય રોજ સવારે નાસ્તામાં ઈંડાનું સેવન કરવાથી ઘણાં ફાયદા થાય છે.
એક તંદુરસ્ત વ્યક્તિએ એક દિવસમાં ૨ ઈંડાનું સેવન કરવું એ ફાયદાકારક છે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેમણે યોક વિનાના ઈંડા ખાવા જોઈએ. તો આજે અમે તમને જણાવી દઈએ રોજ ઈંડા ખાવાથી મળતાં ફાયદાઓ વિશે.
ઈંડાના ફાયદા :- દરરોજ ૨બાફેલા ઇંડા ખાવાથી શરીરમાં ઓમેગા – ૩અને ફેટી એસિડ જેવા પોષક તત્વો મળે છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. બાફેલા ઇંડામાં, કોલિન નામનું તત્વ પણ હોય છે. જે યાદશક્તિમાં વધારો કરે છે
ઈંડાના સફેદ ભાગમાં વિટામિન D, વિટામિન B6, સેલેનિયમ, B12, ઝિંક, કોપર અને આયર્ન જેવા તત્વો હોય છે. ઈંડાની જર્દીમાં કેલરી અને ફેટ વધુ હોય છે. આ પોષક તત્વ શરીરને સ્વસ્થ બનાવવા માટે ખુબ જ મદદ કરે છે.
મોબાઈલ અને કમ્પ્યુટર ના યુગમાં લોકોને ખૂબ જ નાની ઉંમરમાં જ ચશ્માં આવી જાય છે. ઈંડામાં એન્ટીઓક્સીડટ્સ જેવા તત્વો હોય છે. જે આંખો સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ મદદ કરે છે. ઈંડા ખાવાથી સ્વસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને મોતિયો આવતો નથી.
શરીરની નબળાઇની સમસ્યાથી પીડિત લોકોએ દરરોજ ૨બાફેલા ઇંડા ખાવા જોઈએ. તે શરીરને તાકાત પૂરી પાડે છે. આખો દિવસ શરીર સક્રિય રહે છે અને શારીરિક નબળાઇની સમસ્યા પણ દૂર થાય છે. .
ઈંડામાં વિટામિન D હોવાથી હાડકાને મજબૂત બનાવે છે. જે કેલ્શિયમ એબ્સોર્બ કરવા માટે જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં ઈંડા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઈંડાનુ સેવન કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ બને છે. કારણ કે તેની અંદર સલ્ફર અને એમિનો એસિડની સારી માત્રા હોય છે.
દરેક વ્યક્તિએ દરરોજ ૨બાફેલા ઇંડા ખાવા જોઈએ. તે શરીરમાં વિટામિન અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો પુરા પાડે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદા આપે છે. તેથી રોજ સવારના નાસ્તામાં બાફેલા ઇંડા ખાવા જ જોઇએ.
ઈંડા ખાવાથી વજન ઘટે છે. નાસ્તામાં ઈંડા ખાવાથી વધુ વજન વાળા લોકોને ઓવરઈટિંગથી બચાવે છે. જે તેમને વધુ ખાવાથી રોકે છે અને ભૂખ ઓછી લાગે છે અને ભૂખ ઓછી લાગવાને કારણે વજનમાં ઘટાડો થાય છે.
Leave a Reply