વ્યક્તિના હાથ પરથી જાણો તે વ્યક્તિના ભવિષ્ય વિશે

કોઈપણ વ્યક્તિનુ ભાગ્ય તેના હાથમા છુપાયેલુ છે. તેથી જ ઘણા લોકો એવુ માને છે કે, વ્યક્તિને તે જ મળે છે જે તેના ભાગ્યમાં લખાયેલું હોય છે પરંતુ, તેમ છતા પણ આપણે એવું કહેતા હોઈએ છીએ કે, વ્યક્તિ પાસે તેનુ પોતાનુ નસીબ પલટાવવાની કુશળતા છુપાયેલી છે. તેમા કોઈ જ શંકા નથી કે તે વ્યક્તિના હાથની રેખાઓ છે, જે નક્કી કરે છે કે તેને જીવનમા કેટલું સુખ અને દુ:ખ મળશે.

પહેલાના સમયમાં જ્યોતિષ લોકોને તેમના ભવિષ્ય વિશે જણાવતા હતા. વ્યક્તિના હાથમાં ત્રણ રેખાઓ સૌથી વધુ વિશેષ છે ભાગ્ય રેખા, જીવન રેખા અને હૃદયની રેખા. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઉત્સાહિત થઈને આ ત્રણ રેખાઓ વિશે વધુ પડતુ જાણવા ઈચ્છે છે. જો કે, તમારી હાથની રેખાઓમા જે લખ્યુ છે, તે સાચુ હોવુ જરૂરી નથી.

તો ચાલો આજે આ લેખમા આ અંગે થોડી વિશેષ ચર્ચા કરીએ.શાસ્ત્રો મુજબ એવુ માનવામાં આવે છે કે, કાંડા નો ભાગ જે રેખાઓને જોડે છે ત્યા માંસ અને હાડકા ઓછા હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી છે તેવુ કહી શકાય પરંતુ, જો માંસ ઓછું હોય તો તે અશુભ સંકેત માનવામા આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, કાંડાથી હથેળી તરફ આગળ વધતી ત્રણ રેખાઓ તમારી ઉંમર, આરોગ્ય અને બાળક વિશે સૂચવે છે. અંગ્રેજી ભાષામા તેને બ્રેસલેટ લાઇન તરીકે પણ ઓળખવામા આવે છે. આ રેખાઓ ત્રણ હોય તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે પરંતુ, જો તેમની સંખ્યા ત્રણ કે તેથી વધુ હોય તો તે વ્યક્તિ માટે પણ જોખમી બની શકે છે.

ત્રણ રેખાઓ એકબીજાને જોડે છે, તે લાંબા સમય સુધી સુખી જીવન જીવે છે. જો હથેળી ની આ રેખાઓ સમાંતર ના હોય તો તમારી વયમા ઘટાડો થઈ શકે છે. આ સાથે જો હથેળીમા આ ત્રણ લાઈનોમાંથી કોઈપણ બે લાઇન ઓછી હોય તો ટૂંક સમયમા વ્યક્તિના જીવન પર મૃત્યુ નુ જોખમ ઉભું થવા લાગે છે.

આ સિવાય એવુ માનવામા આવે છે કે, જો કોઈ વ્યક્તિની હથેળી પર બે કે ચાર ઉષ્ણકટિબંધીય રેખાઓ હોય તો તેનો પ્રથમ બાળક છોકરી હોય છે. તેની સાપેક્ષે જો ત્યા એક અથવા ત્રણ રેખાઓ હોય તો ત્યા પ્રથમ બાળક પુત્ર હોય શકે છે.જો તમારી હથેળીની ઉષ્ણકટિબંધીય રેખા તૂટી ગઈ છે તો તે તમારા જીવનના ઘણા રહસ્યો ખોલે છે.

જો ઉષ્ણકટિબંધીય રેખા તૂટેલી ના હોય તો વ્યક્તિનું જીવન અને ભાગ્ય સફળ રહે છે પરંતુ, તે અનેકવિધ બીમારીઓથી ઘેરાયેલ રહે છે. આ સિવાય જો કોઈ સ્ત્રીના હાથની ઉષ્ણકટીબંધીય રેખા હથેળી તરફ આગળ વધે છે અને છેવટે ગોળાકાર આકાર લે છે તો તે એક જોખમી સંકેત આપે છે. તેનો અર્થ એવો થાય છે કે, સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન ઘણુ સહન કરવુ પડશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *