વિરાટ ને ઘરે થી કાઢી મુકશે પાખી, સઈ ને જલન કરાવવા માટે કરશે આવું….

ટીવી અભિનેત્રી આયેશા સિંહ અને નીલ ભટ્ટ અભિનીત સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ લોકોના દિલ જીતવાની સાથે સાથે TRP યાદીમાં પણ ધૂમ મચાવી રહી છેં..ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’ સિરિયલ સાથે ટક્કર લેવામાં કોઈ પ્રકારની કસર છોડી નથી.

અગાઉના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે સઈ અને વિરાટ શરૂઆતમાં એકબીજા સાથે કામ કરવાની ના પાડે છે, પરંતુ રૂપાને જોઈને સઈ તેના પિતાને યાદ કરવા લાગે છે. બીજી તરફ વિરાટ પણ ભાવુક થઈ જાય છે અને બંને સાથે કામ કરવા માટે રાજી થઈ જાય છે. પરંતુ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

 

View this post on Instagram

 

A post shared by ghkkpm💐 (@saivirat100)


વિરાટ પત્રલેખાને આપેલું વચન તોડશે

આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે વિરાટ પાખીને કહે છે કે તેણે સઈને તેની ટીમમાં એક ડોક્ટર તરીકે રાખી છે. આ સાંભળીને પત્રલેખાના પગ નીચેથી જમીન સરકી જાય છેં. બીજી તરફ સોનાલી કાકુ પણ પત્રલેખાને ટોણો મારતા કહે છે કે તને વિરાટ પર ખુબ જ વિશ્વાસ હતો, એ વિશ્વાસ અને વચન ક્યાં ગયું!!!

સત્ય સાંભળીને પાખી વિરાટ પર ગુસ્સે થઈ જશે.

તે વિરાટ પર બૂમ પાડે છે કે તું સવીના બહાને તેને મળવા જતો હતો તે ઓછું ન હતું. તેના પર વિરાટે જવાબ આપ્યો કે તું વધારે પડતી જ ઇન્સક્યોર થઇ રહી છું. આ પછી પણ પાખી ચૂપ નથી બેસતી અને વિરાટ ને ખરી ખોટી સંભળાવે છેં..

 

View this post on Instagram

 

A post shared by ghkkpm💐 (@saivirat100)


પત્રલેખાએ વિરાટને ટોણો મારે છેં કે તે તેનો ઉપયોગ તેની એક્સ પત્નીને જલન કરવા માટે કરી રહ્યો છે.તે વિરાટ પર પ્રહાર કરે છે અને કહે છે, “હું તારા બાળકની આયા બની ગઈ છું. તને બે દુનિયા સંભાળવાનો શોખ છે,ને જરા પોતાની જાતને જુઓ, તમે કશું જ સંભાળી શકો તેમ નથી ”

પત્રલેખા વિરાટને બેઘર કરી દેશે

વિરાટ પર પત્રલેખાનો ગુસ્સો હજુ પણ પૂરો થતો નથી. તેના પર ગુસ્સે થઈને તે કહે છે કે જો તને સઈને મળવાનો અને તેની સાથે રહેવાનો આટલો જ શોખ છે તો તારા બોરિયા અને બિસ્તર ઉપાડીને અહીંથી નીકળી જા.જો કે, વિરાટ પણ આ વાત પર ચીસો પાડીને કહે છે, “તારી જેમ મેં હજુ કોઈ પણ હદ ઓળંગી નથી.”


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *