જો કોઈપણ કારણ વગર તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો થઈ જાવ સાવધાન

કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને દરેક લોકોને ડર લાગવા લાગે છે. કેન્સરની બીમારી ઘણા સમય પછી ખબર પડે છે. ઘણા કિસ્સાઓમાં કેન્સર શરૂઆતમાં જ ખબર પડી જાય છે.. મોટાભાગના લોકો કેન્સરના લક્ષણોને ઓળખતા નથી જેના કારણે આ બીમારી ખૂબ ગંભીર સ્વરૂપ લે છે. કહેવામાં આવે છે કે આપણા દેશમાં પણ રોજ બરોજ કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે.

કેન્સર થતા સમયે કેટલાક ફેરફાર અને લક્ષણો શરીરમાં જોવા મળે છે, જેને નજર અંદાજ કરી દેવામાં આવે તો કેન્સર પણ થઇ શકે છે.  આજે અમે તમને કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેથી તમે આ બીમારીના શરૂઆતના લક્ષણોના સમયસર લક્ષણો ઓળખી શકો અને રોગને રોકી શકો છો.

જલ્દી હાંફી જવું :- જો તમે દરરોજ કસરત કરો છો અથવા ચાલવા જાઓ છો તો તેનથી શ્વાસ ફુલવા લાગે છે.પરંતુ જે લોકો વગર ચાલ્યા અને દોડ્યા જ શ્વાસ ફુલવાની સમસ્યા આવી રહી છે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે, લાંબો શ્વાસ લેવો એ કેન્સરની શરૂઆતની સંકેત માનવામાં આવે છે. જો તમને આવી સમસ્યા થઈ રહી છે, તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વજન ઓછું થવું :- જો કોઈપણ કારણ વગર તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો આ એક કેન્સર થવાના લક્ષણ હોઈ શકે છે. ઓછી ભૂખ લાગવી, ખાવાનું સારી રીતે ન ખાઈ શકવું એ પણ આનું એક લક્ષણ હોઈ શકે. જો કોઈ કારણ વગર તમારું ચારથી પાંચ કિલો વજન ઘટી જાય તો આ પણ કેન્સર થવાનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે.

શરદી ઉધરસ :- શરીર પર હવામાન બદલવાનો કારણે અસર પણ પડે છે. હવામાનમાં ફેરફાર થતાંની સાથે જ શરદી અને ઉધરસ જેવી સમસ્યા શરૂ થઈ જાય છે, પરંતુ સામાન્ય સારવાર બાદ તે મટાડવામાં આવે છે.  જો તમે લાંબા સમયથી શરદી-ખાંસીથી પીડાઈ રહ્યા છો,દવાથી પણ જો નથી સારું થતુ તો તમારે આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે લાંબા સમય સુધી શરદી-ઉધરસ હોવી એ કેન્સરના પ્રારંભિક લક્ષણો માનવામાં આવે છે.

છાતીમાં બળતરા અને અપચો :- છાતીમાં બળતરા થવી અને અપચો આ બંને સમસ્યા આમ તો સામાન્ય જ છે. પણ જયારે તમે વધારે ખાવાનું કે પછી મસાલેદાર ખાવાનું આરોગો છો ત્યારે આવું થતું જ હોય છે. પણ જયારે સતત આવું થાય તો આ લક્ષણ એ ચિંતાનું કારણ બની શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *