વધુ ગુસ્સાને કારણે આ રાશિના લોકો પોતાની ઉપર કાબુ ગુમાવી બેસે છે અને તેમનું આ વલણ સફળ થવાથી રોકે છે.

ઘણા લોકોને તો રાશિઓમાં લખેલી વાતો ઉપર એટલો વિશ્વાસ હોય છે કે, કોઈ પણ કામ તેની મુજબ જ કરવાનું ગમે છે. અમે તમને જણાવી દઈએ રાશિચક્રમાં કુલ ૧૨ રાશિઓ હોય છે અને દરેક રાશિના પોત પોતાના ગુણ અને દોષ હોય છે. આ દુનિયામાં લગભગ જ કોઈ એવું વ્યક્તિ હશે

જેના દુશ્મન નથી હોતા.આજે અમે તમને અમુક રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રાશિના વ્યક્તિ ના દુશ્મન વધારે હોય છે અને તેના દુશ્મન માં વધારો થતો રહે છે. તો ચાલો જાણી લઈએ કે એ કઈ રાશિ છે જેના દુશ્મન વધુ હોય છે.

મેષ રાશિ: મેષ રાશિના લોકો ઘણા ગુસ્સા વાળા હોય છે, કોઈ પણ નાની વાત હોય તેમને ગુસ્સો જલ્દી આવે છે. વધુ ગુસ્સાને કારણે તે લોકો પોતાની ઉપરનો કાબુ પણ ગુમાવી બેસે છે અને તેમનું આ વલણ તેમને સફળ થવાથી રોકે છે.

કર્ક રાશિ: આ રાશિના લોકોને બીજા સાથે ઝગડો કરવાની આદત હોય છે. એ કઈ પણ સહન કરતા નથી અને ચુપ પણ બેસતા નથી. જે એને ખોટું લાગે છે તે મોઢે કહી દે છે. બીજા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માં પણ તે દૂર નથી ભાગતા. જેના કારણે તેના દુશ્મન પણ દિવસ પ્રતિદિવસ વધતા જાય છે. 

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો ના દુશ્મન પણ ઓછા નથી હોતા. એને જીવનમાં જયારે પણ તરક્કી મળે છે તો એનાથી લોકો બળવા લાગે છે એટલે કે ઈર્ષ્યા કરે છે. લોકો એનું સારું થતું હોય તે નથી જોઈ શકતા. એ એને નીચા બતાવવા અથવા બર્બાદ કરી દેવાનું વિચારતા રહે છે. ઘણી વાર તો એના દુશ્મન એટલા બધા વધી જાય છે કે એની જિંદગી પણ ડગમગવા લાગે છે.

કન્યા રાશિ: કન્યા રાશિ વાળા લોકો કોઈની ભૂલોને જલ્દી માફ નથી કરતા. ભૂલને ભૂલાવવામાં આ લોકો ઘણો સમય લે છે. આ રાશિના લોકો ઘણી પસંદ અને નાપસંદ કરવા વાળા પણ હોય છે. તેની દરેક બાબતમાં તે ભાવ હોય છે. આ લોકો ઝગડા કરવામાં સૌથી આગળ હોય છે, અને નાની નાની વાતો ઉપર ઝગડા ઉપર આવી જાય છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *