આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં તુલસી વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ઘણા બધા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી જીવનની દરેક અડચણો દુર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ માટે થાય છે.
તુલસીના ના સુગંધી-તેલ માટે પણ આયુર્વેદિક રીતે ઉપયોગ કરી શકાય છે. દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઉપાય તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત તુલસી આયુર્વેદમાં પણ મોટા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં તુલસીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે. ગ્રંથો અને પૌરાણિક કથા અનુસાર તુલસીથી જ વિષ્ણુ ભગવાનનું મનસન્તાપ દુર થયું હતું. અને એટલે જ પંડિતો તેને હરિપ્રિય કહે છે.
સંસ્કૃત ભાષામાં તુલસીને હરિપ્રિયાજ કહેવામાં આવે છે. હિંદુ ધર્મ માં તુલસી ના છોડ ને દેવી નો દરજ્જો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે એની પૂજા કરવાથી દરેક સંકટ અને દુખ દર્દ દુર થઇ જાય છે.
વાસ્તુ અનુસાર સવારે સૂર્યોદય ના સમયે ઉઠીને સ્નાન કરીને પછી સૂર્ય અને તુલસી ને જળ ચડાવવું જોઈએ. સુર્યાસ્ત ના સમયે તુલસી ની પાસે દીવો કરવો જોઈએ, અને સાથે જ એક મંત્ર નો જાપ પણ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે.
વિષ્ણુ પુરાણ મુજબ જો મુખ્યદ્વાર ની સામે રોપવામાં આવેલ તુલસી ના છોડ ને દરરોજ સવારે જળ ચડાવવું જોઈએ અને સાંજે એની સામે ઘી નો દીવો પણ કરવો જોઈએ, જેનાથી ઘર ની સુખ સમૃદ્ધિ બની રહે છે. તુલસી સામે દીવો અને પૂજા કરતા સમયે બોલવો આ મંત્ર..
महाप्रसाद जननी,सर्व सौभाग्यवर्धिनी
आधि व्याधि हरा नित्यं,तुलसी त्वं नमोस्तुते।।
દરેક હિદુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ પોતાના ધાર્મિક મહત્વને કારણે જોવા મળે જ છે. અને તેની પાછળ એક મોટી કહેવત એ પણ છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘર પૂજવા લાયક સ્થાન હોય છે. અને તે ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે મૃત્યુના દેવતા નથી આવી શકતા. આ મંત્ર ના જાપ થી ઘરમાં સુખ સમૃદ્ધિ માં વધારો થાય છે અને દરેક પ્રકારની સમસ્યા પણ દુર થાય છે.
Leave a Reply