રોજિંદા જીવનમાં અજાણતાં આપણાથી એવી ભૂલો થઇ જાય છે જેની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે. આવી જ એક ભૂલ ત્યારે થાય છે રાત્રે સુતા વખતે તમારી આસપાસ સામાન રાખવાથી જીવનમાં ખરાબ અસર પડે છે.કઇ એવી વસ્તુઓ છે કે જે સૂવાના સમયે તમારી સાથે ન રાખવી અને જેનાથી તમારા જીવન પર ખરાબ અસર પણ પડી શકે છે.
તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે કે જેનાથી જીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે.દોરડું નો ઉપયોગ સામાન્ય દિવસોમાં ક્યારેક જ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો દોરડાને પોતાના પલંગની પાસે અથવા નીચે રાખીને સૂઈ જાય છે. અમે જણાવી દઈએ કે દોરડું કે ચેન તમારે પલંગની પાસે રાખીને ન સૂવું.આ વસ્તુઓ ઘરમાં અશુભ માનવામાં આવે છે
અને તમારા ઘણા કામોને અવરોધે છે. તમારા ઓરડામાં ક્યારેય દોરડું લગાવવું નહિ. તેનાથી રૂમની સુંદરતા પણ ખરાબ થાય છે અને જીવનમાં તણાવ પણ વધે છે. દોરડાને તમારા સૂવાના ઓરડાથી દૂર રાખવું જોઈએ.સૂવાના સમયે તમારા બેડની આસપાસ ખાંડણી રાખવાથી તમારા સંબંધો વચ્ચે તણાવ વધે છે. તમારા ઓશિકા નીચે ક્યારેય પણ પેપર અને મેગેઝીન જેવી વસ્તુઓ ન રાખવી.
જેનાથી તમારા જીવન પર ખરાબ અસર પડશે.કોઈ પણ આધુનિક ઉપકરણ જેવા કે ઘડિયાળ, મોબાઇલ, લેપટોપ, વિડિઓ ગેમ વગેરે તમારા માથાની નજીક રાખીને ન સુવું જોઈએ આ ઉપકરણો હંમેશાં ચાલતા રહે છે. જેનાથી જો તમે તેમને તમારા માથાની નજીક રાખીને સૂઈ જાઓ છો.
તો તમારા જીવનની શાંતિ માં ખલેલ પહોચે છે.ઘણાં જ્યોતિષીઓ મુજબ આ ઉપકરણોમાંથી નીકળતી કિરણો આપણા મગજમાં પણ ખલેલ પહોંચાડે છે અને શરીર માટે પણ ખૂબ નુકસાનકારક હોય છે.માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં લક્ષ્મી આવે છે. તેમની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે
જો રાત્રે સુતી વખતે કોઈએ તમારા માથા પાસે પર્સ અથવા પાકીટ રાખવામાં આવે તો તેનાથી તમારા નકામા ખર્ચમાં પણ વધારો થાય છે. પર્સ અથવા પાકીટ ને જો તમે માથાની પાસે રાખીને સૂઈ જાવ તો તેનાથી તમે પૈસા ગુમાવી શકો છો. સંપત્તિ ની જગ્યા તિજોરીમાં હોય છે, એટલા માટે તેને માથાની નજીક રાખી ને ન સૂવું જોઈએ.
Leave a Reply