સુર્યાસ્ત પછી ભૂલથી પણ પાડોશીને ન આપવી આ વસ્તુઓ, નહિ તો થઇ શકો છો કંગાળ

ઘણી વાર આપણે આજુબાજુમાં કંઇક ને કંઇક વસ્તુની આપ લે કરતા હોઈએ છીએ. દરેક ધર્મની પોત પોતાની વિશેષતાઓ હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એક કહેવત છે કે પહેલો સગો પાડોશી હોય છે. પરંતુ જો તમારા પાડોશી સૂર્યાસ્ત પછી તમારી પાસે કોઈ એવી વસ્તુ માંગે તો ખાસ ધ્યાનમાં રાખવી આ બાબતો..

આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જે 5 વસ્તુમાંથી કોઈ પણ 1 વસ્તુ માંગે છે તો તમારે ભૂલથી પણ ન આપવી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કે આ 5 માંથી કોઈ પણ એક ચીજ સૂર્યાસ્ત પછી પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો. તો ચાલો જાણી લઈએ એ ૫ વસ્તુઓ વિશે..

માતા લક્ષ્‍‍મીને ધનની દેવી માનવામાં આવે છે. સૂર્યાસ્તના સમયે તમે કોઈ વ્યક્તિને ધન કે રૂપિયા આપો છો તો તેનો અર્થ એવો થાય છે કે તમે દેવી લક્ષ્‍‍મી ને તમારા ઘરેથી વિદાય આપી રહ્યા હોય. આવું કરવાથી તમારા ઘર માંથી લક્ષ્‍‍મીજી નારાજ થઈને ચાલી જાય છે અને સાથે તમારું નુકશાન થવાનું શરૂ થઇ જાય છે. એટલા માટે આ કામ ક્યારેય ન કરવું.

દૂધ :- દૂધનો સંબંધ પણ માતા લક્ષ્‍‍મી અને ભગવાન વિષ્ણુની સાથે જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપો છો અથવા તો દૂધ માંગવા આવે અને તમે એને દૂધ આપો છો તો માતા લક્ષ્‍‍મી તમારાથી નારાજ થઇ જાય છે અને સાથે તમારા ઘરમાંથી બરકત પણ ઘટવા લાગે છે.

દહીં :- જ્યોતિષ મુજબ દહીંનો સંબંધ શુક્રની સાથે જોડાયેલો હોય છે. દહીંથી વ્યક્તિના સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો તમે સૂર્યાસ્ત બાદ કોઈને પણ દહીં આપો છો તો તમારા સુખ અને વૈભવમાં નુકશાન થવ લાગે છે. માટે તમારે આ કામ ન કરવું યોગ્ય છે.

હળદર :- જ્યોતિષમાં હળદરનો સંબંધ ગુરુના ગ્રહ સાથે માનવામાં આવે છે. આ માટે સૂર્યાસ્ત બાદ કોઈ પણ વ્યક્તિને હળદર આપવાની મનાઈ કરવામાં આવી છે. હળદર આપવાથી ગુરુ નબળો બને છે. હળદર આપવાથી વ્યક્તિ પાસે ધન અને વૈભવની સ્થિતિ ઘટવા લાગે છે. દરેક ઘરમાં સામાન્ય રીતે હંમેશા વપરાતા લસણ અને ડુંગળીને પણ સૂર્યાસ્ત પછી કોઈને ન આપવા.

તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. આનો સંબંધ જાદુ-ટોના સાથે પણ રહેલો હોય છે. સૂર્યાસ્ત પછી કોઈને તમારા ઘરમાંથી આ ૨ વસ્તુ ખાસ ન આપવી. નહીં તો તમારું પતન એવું થશે કે તમે તેમાંથી નીકળી નહિ શકો.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago