જ્યારે દેવી લક્ષ્મી કોઇ સ્થાને વાસ કરે ત્યારે આવા શુભ સંકેત પ્રાપ્ત થવા લાગે છે

દરેક વ્યક્તિ આવી ઈચ્છા ધરાવે છે કે જીવનમાં તેમને ખુબજ રૂપિયા મળે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર બની રહે, આ માટે તેઓ ખુબજ મહેનત કરે છે. પરંતુ માત્ર મહેનત કરવી જ કાફી નથી પરંતુ માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખુબજ જરૂરી છે. હિન્દૂ ધર્મના ગ્રંથો અને પુરાણોમાં દેવી લક્ષ્‍મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવેલી છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો કોઈના પર ધનની દેવી લક્ષ્‍મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ધન અને વૈભવની ખામી બિલકુલ પણ નથી આવતી.  પુરાણોમાં એવી કેટલીયે કથાઓ છે જે અનુસાર જ્યારે જ્યારે દેવી લક્ષ્મી કોઇ સ્થાનનો ત્યાગ કરે છે ત્યાં અંધારૂ અને નિરાશાઓ છવાઇ જાય છે. તેમના આગમનથી સમૃદ્ધિ આવે છે. જ્યારે દેવી લક્ષ્મી કોઇ સ્થાને વાસ કરે ત્યારે તમને શુભ સંકેત પ્રાપ્ત થવા લાગે છે. આજે આપણે આવાજ શુભ સંકેતો અંગે વાત કરીશુ.

શંખ ભગવાન વિષ્ણુને ખુબજ પ્રિય વસ્તુઓમાંની એક છે. શંખ માતા લક્ષ્મીનું રૂપ છે. જો તમને શંખનો ધ્વની સંભળાય તો સમજો ઘરે માતા લક્ષ્મીનો વાસ થવાનો છે. જલ્દી તમારા ભાગ્યના દરવાજા ખુલશે. માતા લક્ષ્મીના આગમનનો એ પણ સંકેત છે કે સવાર સવારમાં જો તમને શેરડી દેખાય તો સમજો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે.

આ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે. જ્યાં ઘુવડ જોવા મળે ત્યાં લક્ષ્મી જરૂર જાય છે આથી આસપાસ જો ઘુવડ દેખાય તો સમજો માતા લક્ષ્મી તમારે ત્યાં વાસ કરશે.જ્યારે તમારી આસપાસ અચાનક હરીયાળી દેખાવા લાગે તો સમજો માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે.

તમારા જીવનમાં આવેલી તકલીફોનો અંત આવવાનો છે. રૂમઝુમ કરતી માતા લક્ષ્મી તમારા દ્વારે પધારી રહી છે. માં એ જ ઘરોમાં વાસ કરે થે જ્યાં સ્વચ્છતા હોય આથી જ આપણે દિવાળીના તહેવારે ખાસ ઘરની સાફ સફાઇ કરાવીએ છીએ. સાવરણી અને માતા લક્ષ્મીનો ગાઢ સંબંધ છે. આથી જો તમે સવાર સવારમાં ઘરમાં સાફ સફાઇ કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *