આ ચૈત્ર મહિનો પિતૃ મહિનો માનવામાં આવે છે. આ દિવસોમાં લોકો દ્વારા પ્રાર્થના, પિતૃ બલિદાન આપી, પિતૃ માટે વ્રત-ઉપવાસ કરીને એને ખુશ કરવામાં આવે છે. તેમજ તેમના આશીર્વાદ પણ લેવામાં આવે છે, પરંતુ ઘણા લોકો કહેતા હોય છે કે તેઓએ તેમના સપનામાં પિતૃઓ ના દર્શન કર્યા.
ખરેખર, આપણે આખો દિવસ જે વિચારીએ છીએ તે આપણે મનમાં ભટકીને આપણા સપનામાં જોઈએ છીએ. પરંતુ પિતાના સ્વપ્ન જોવા પાછળનું કારણ આપણા જીવન સાથે સંબંધિત હોય છે. આવી સ્થિતિમાં, પિતૃ તમને સપનામાં એમુક એવા થોડા સંકેત આપી રહ્યા છે, જેના દ્વારા ભવિષ્ય વિશે ઘણું જાણી શકાય છે.
સ્વપ્ન શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર દરેક સપનાનો પોતાનો એક અર્થ થાય છે. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે સપનામાં પિતૃઓ દેખાવા તમારા જીવન સાથે સંબંધિત અનેક પ્રકારના સંકેત આપે છે. તો ચાલો સ્વપ્નશાસ્ત્ર મુજબ, આજે આપણે જાણી લઇએ કે આ રીતે પિતાના સપનામાં આવવા પાછળનું કારણ શું હોય છે …
પિતૃ હસતા હોય તેવા સપનામાં આવવા :- જો કોઈ વ્યક્તિના સપનામાં પિતૃ હસતા અને ખુશ જોવા મળે છે, તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ કે તેઓ તમારી સાથે ખુશ છે. આવા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
મીઠાઈ ખાતા પિતૃ જોવા મળવા :- સપનામાં જો પિતૃ ખુશી મનાવતા મિઠાઇ ખાતા કે વહેંચતા જોવા મળે તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. આવા સપના જોવાનો અર્થ છે કે કોઇ માટે વિવાહ અથવા સંતાનનો યોગ બની રહ્યો છે.
દુખી અવસ્થામાં પિતૃ જોવા મળવા :- સપનામાં કોઇના પિતૃ દુખી કે નારાજ દેખાઈ તો તેનો અર્થ થાય છે કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન થયા નથી. તેવામાં તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા અને એની આત્માની શાંતિ માટે ના ઉપાય જરૂર કરવા જોઇએ.
પિતૃ સાથે સપનામાં વાતો કરવી :- જો કોઈના પિતૃ સપનામાં આવીને એમની સાથે વાત કરે તો તેનો અર્થ એ છે કે તે એમને કંઇક જણાવવા ઇચ્છે છે, એવું પણ બની શકે છે કે તે તમને આવનારી ઘટનાની જાણકારી આપવા માગતા હોય કે આવનારી ઘટના વિશે સાવધાન પણ કરી શકે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…