આધ્યાત્મ

જ્યોતિષો તેમજ મહાન વેદ વક્તા પંડિતો ના જણાવ્યા મુજબ ૨૪ કલાકમા આ સમયે ના કરવી પૂજા

દરેક ઘરમાં પૂજા અર્ચના થતી જ હોય છે. પણ શું બધાની ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે, શું બધા ને કરેલ પૂજા નુ પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. તો આનો જવાબ મોટેભાગે ના આવશે જેના લીધે જ કોઈ ગરીબ હોય છે તો કોઈ અમીર, કોઈ પૈસાદાર હોય તો કોઈ પૈસા વગરનો તેમજ માથે દેણું કરેલો. આવું થવાનું કારણ શું હશે પૂજા તો બન્ને કરે છે પછી આવો ભેદભાવ શુકામે.

પૂજા તો આપળે કરી પરંતુ તેને સ્વીકારવામાં આવી કે નઈ તે કેમ નક્કી કરી શકાય. આપળે જયારે પણ ભગવાન પાસે પૂજા કરતા હોઈએ ત્યારે આપળે આપડી ઈચ્છા તેમને દર્શાવતા હોઈએ છીએ પરંતુ તેને જોઈ તેવું ફળ આપળે ને નથી મળતું એટલે આપળે કુદરત ને દોષિત ગણીએ છીએ પરંતુ હકીકતે આવું નથી ભગવાન તેમાં દોષિત નથી.દોષી તો આપળે છીએ કે જે અમુક ભૂલો ને લીધે ભગવાન ના આશિષ થી વંચિત રહી જાય છે.

તો આજ ના આર્ટીકલ માં આપળે એક જાણશું કે આપળી કઈ-કઈ ભૂલો છે તેમજ પૂજા કરવાનો ઉચિત સમય કયો છે. તો ચાલો વાત કરીએ આ વિશે. ભગવાન બધા ની પૂજા સ્વીકારતા જ હોય છે પરંતુ અમુક સમય એવો હોય છે કે જયારે પૂજા સ્વીકારવામાં નથી આવતી અને જેને આપળે કાલ ચોઘડિયા તરીકે ઓળખીએ છીએ.

જ્યોતિષો તેમજ મહાન વેદ વક્તા પંડિતો ના જણાવ્યા મુજબ ૨૪ કલાક મા દિવસ દરમિયાન રાહુકાલ અને કેતુકાલ એવા બે કાલ છે કે જયારે પૂજા ના કરવી જોઈએ. તેમજ અઠવાડિયામાં તેવો પોતાની ગતિ પણ બદલાવતા હોવાથી તેમની સમય પણ ફરે છે.આ કાલ ચાલતો હોય ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ ને પણ નો મળવું જોઈએ તેની વિપરીત અસર પડી શકે છે.

આ બન્ને ગ્રહ પૃથ્વી વાસીઓ સાથે વધારે સંકળાયેલા છે જેથી કરીને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પછી પૂજા-અર્ચના ના કરવી જોઈએ. જો આ બન્ને પ્રસન્ન થઇ જાય તો કોઈ પણ ઈચ્છા ની પૂર્તિ કરી શકાય છે. તેમના સમયગાળા માં તેઓ એવું ઈચ્છતા હોય કે તેમની પૂજા કરવામાં આવે બીજા કોઈ પણ દેવી-દેવતાઓ ની નહિ જેથી કરીને તે અડચણો ઉભી કરી આપળી મનોકામના ભગવાન સુધી નથી પોહચવા દેતા.

દરેક ઇચ્છાઓ પૂરી કરવા માગો છો તો અને તમારા જીવન મા ઘણું ધન અને યશ કીર્તિ તેમજ આનંદ ઈચ્છો છો તો રાહુકાળ દરમિયાન તેનો મંત્ર અને કેતુકાળ દરમિયાન કેતુ મંત્ર નો ઓછા માં ઓછું ૧૦૮ વખત જાપ કરવો જોઈએ. જો જાપ તમને ના ફાવે તો માત્ર હનુમાનજી ના શક્તિશાળી બીજમંત્ર નો જાપ પણ કરી શકો છોહનુમાનજી ના મંત્ર થી સવ કોઈ પ્રસન્ન પણ થાય છે સાથોસાથ તે શાંત પણ થાય છે.

બીજા કોઈ પણ જાતના ક્રિયાકાંડો કે વિશેષ પૂજા નથી કરવાની થતી. તેમજ આ મંત્ર ને તમે યાદ કરી ગમે ત્યારે તેનું માનસિક જાપ થી પઠન કરી શકો છો. માનસિક જાપ કરતા સમયે તમારા હોઠ હલવા ન જોઈએ માત્રને માત્ર આ જાપ મન માં જ કરવાનો હોય છેઅને જો હોઠ હલાવી ને ધીરે-ધીરે જાપ કરવા ઈચ્છો છો તો તમારે બુટ કે ચપ્પલ ઉતારીને ત્યારબાદ જાપ કરી શકો છો.

 

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago