એપિસોડની શરૂઆત ચવ્હાણ પરિવાર સાથે થાય છે જ્યારે સઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ જોઈને બધા જ ચોંકી જાય છે. નિનાદ તેમને કહે છે કે સઈએ વિનાયકની કસ્ટડી મેળવવા માટે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.તેને એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે નહીં, જો તેઓ વિનાયકને કોઈ પણ પરેશાની વગર તેની પાસે મોકલશે.. પરંતુ તેઓ તેના અને તેના પુત્ર વચ્ચે આવવાનો પ્રયાસ કરશે, તો તેમને છોડશે નહીં અને કોર્ટમાં લઈ જશે..
ઉપરાંત,સઈ વિનાયકની માતા બનવા માટે પાખી યોગ્ય નથી તે સાબિત કરવા માટે પાખીની ભૂતકાળની તમામ ભૂલો જાહેર કરશે. ભવાની સઈ પર ગુસ્સે થાય છે.જ્યારે પાખી કહે છે કે તે વિનાયકને ત્યાંથી તેના માતાપિતાના ઘરે લઈ જશે, જેના પર ભવાનીએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તે વિનાયકને તેની નજરથી દૂર નહીં થવા દે.
નિનાદ વિરાટને સઈ સાથે વાત કરવા અને વિનાયકને ચૌહાણ હાઉસમાં બધાની સાથે રહેવા દેવા માટે સમજાવે છે. બીજી બાજુ, સવી વિનાયકને યાદ કરે છે અને સઈને તેના વિશે કહે છે.તે સવીને ખાતરી આપે છે કે તેઓ વિનાયકને જલ્દી મળશે. તે જ સમયે વિનાયક સઈના ઘરે પહોંચે છે, ત્યારબાદ સઈની આંખોમાં આંસુ આવી જાય છે અને તેં વિનાયકને ગળે લગાવે છે.
વિરાટ સઈને મળે છે અને આ બાબતે ચર્ચા કરવા માટે તેને બહાર લઈ જાય છે. તે તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેને તેનો કેસ પાછો ખેંચી લેવો જોઈએ અને કહ્યું કે જો તેને પાખીને સાથ ન આપ્યો હોત, તો તેને આત્મહત્યા કરી લીધી હોત.
સઇ કહે છેં કે તે તેના પુત્રને એવી મહિલા સાથે નહીં રહેવા દે જે તેને નુકસાન પહોંચાડી શકે અને તેના પોતાના પર કોઈ કંટ્રોલ ન હોય.સઈ કહે છે કે તે પોતાનો કેસ પાછો ખેંચશે નહીં અને જો ચવ્હાણ વિનાયકને પાછો નહિ આપે તો તે કોર્ટમાં જશે.
વિરાટ સઈ સાથેના પોતાના ભૂતકાળને યાદ કરીને ભાવુક થઈ જાય છે.આ દરમિયાન, પાખી વિનાયકને તેની હોમ સ્કૂલ માટે સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વિનાયક ના પાડે છે.. ભવાનીએ જાહેરાત કરી કે તે અનાથાશ્રમમાં પૂજા કરશે અને ખાતરી કરશે કે વિનાયક તેમનાથી દૂર ન જાય.
આ દરમિયાન, પાખી વિનાયકની કસ્ટડી વિશે વિચારીને ચિંતિત થઈ જાય છે. વિરાટ અને સઈ તેમની સાથે વિતાવેલી ખુશીની પળોને યાદ કરે છે અને તેઓ સાથે રહેવા ઈચ્છે છે.બીજી બાજુ ભવાનીએ પણ વિનાયકને કોઈપણ ભોગે પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું છેં.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…